Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દર મંગળવારે ઊપડશે મુંબઈ-અયોધ્યા અમૃત ભારત એક્સપ્રેસ

દર મંગળવારે ઊપડશે મુંબઈ-અયોધ્યા અમૃત ભારત એક્સપ્રેસ

Published : 04 May, 2026 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેન-નંબર ૨૨૧૧૨ અયોધ્યા કૅન્ટોનમેન્ટથી દર બુધવારે બપોરે ૧.૫૦ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે બપોરે ૩.૪૫ વાગ્યે મુંબઈ પહોંચશે.

મુંબઈ-અયોધ્યા અમૃત ભારત એક્સપ્રેસ

મુંબઈ-અયોધ્યા અમૃત ભારત એક્સપ્રેસ


મુંબઈ અને અયોધ્યા વચ્ચે દોડનારી અમૃત ભારત એક્સપ્રેસ પાંચમી મેથી શરૂ થશે.ટ્રેન-નંબર ૨૨૧૧૧ મુંબઈ (LTT)થી દર મંગળવારે સવારે ૭.૫૫ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે ૧૦.૧૫ વાગ્યે અયોધ્યા કૅન્ટોનમેન્ટ પહોંચશે. ટ્રેન-નંબર ૨૨૧૧૨ અયોધ્યા કૅન્ટોનમેન્ટથી દર બુધવારે બપોરે ૧.૫૦ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે બપોરે ૩.૪૫ વાગ્યે મુંબઈ પહોંચશે. 

આશરે ૨૬ કલાક ૨૦ મિનિટની જર્ની દરમ્યાન ટ્રેન ૧૨ સ્ટેશનોએ થોભશે. આમાં સુલતાનપુર, મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ, પ્રયાગરાજ, માણિકપુર, સતના, જબલપુર, ઇટારસી, ભુસાવળ, જલગાવ, નાશિક રોડ, કલ્યાણ અને થાણેનો સમાવેશ છે. આ એક્સપ્રેસ ટ્રેન સાથે કુલ નૉન ઍર-કન્ડિશન્ડ (AC) બાવીસ કોચ જોડવામાં આવશે જેમાં ૮ સ્લીપર ક્લાસ, ૧૧ જનરલ ક્લાસ, બે  SLR (સિટિંગ-કમ-લગેજ રૅક) કોચ અને ૧ પેન્ટ્રીકારનો સમાવેશ છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK