Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઈદ મિલાદના સરઘસ દરમિયાન મુંબઈમાં વાતાવરણ તંગ! પરેલમાં પથ્થરમારો, પોલીસ પડી વચ્ચે

ઈદ મિલાદના સરઘસ દરમિયાન મુંબઈમાં વાતાવરણ તંગ! પરેલમાં પથ્થરમારો, પોલીસ પડી વચ્ચે

Published : 27 August, 2026 10:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Eid Milad Procession: મુંબઈના પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં ઈદ મિલાદના સરઘસ દરમિયાન જૂથ અથડામણ અને પથ્થરમારો; ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો; પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી શાંતિ પુનઃસ્થાપિત કરી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


મુંબઈ (Mumbai)ના પરેલ-ચિંચપોકલી ખાતે બુધવારે, ૨૬ ઓગસ્ટની મોડી રાત્રે ઈદ મિલાદના સરઘસ (Eid Milad Procession) દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ અને પથ્થરમારો થતાં ભારે તંગદિલી સર્જાઈ હતી. આ ઘટના લક્ષ્મી કોટેજ બિલ્ડિંગ (Laxmi Cottage building) નજીક બની હતી, જ્યાં સુશોભિત બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

લક્ષ્મી કોટેજ નજીક બોલાચાલી બાદ હિંસા ભડકી



મુંબઈ પોલીસ (Mumbai Police) અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પરેલ-ચિંચપોકલી વિસ્તારમાંથી જ્યારે ઈદ મિલાદ-ઉન-નબી (Eid-e-Milad-un-Nabi 2026)નું સરઘસ આગળ વધી રહ્યું હતું ત્યારે આ વિવાદ શરૂ થયો હતો. બંને પક્ષો તરફથી કથિત રીતે કરવામાં આવેલા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર બાદ બંને જૂથો વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી.


આ બોલાચાલી ટૂંક સમયમાં જ હિંસક ઝઘડામાં પરિણમી હતી. આ અફરાતફરી દરમિયાન સરઘસના માર્ગ પર લગાવેલા અનેક સુશોભિત હોર્ડિંગ્સ અને બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા. લક્ષ્મી કોટેજ બિલ્ડિંગ નજીક વિવાદ વધુ વકર્યો હતો અને બંને બાજુથી લોકોએ પથ્થરમારો શરુ કરી દીધો હતો, જેના કારણે આસપાસના રહીશો અને દુકાનદારોમાં ભારે ભય ફેલાયો હતો.

પોલીસે કડક બેરિકેડિંગ અને ભારે બંદોબસ્ત ખડક્યો


ઈમરજન્સી કોલ મળતાં જ વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ કાફલો ભીડને વિખેરવા માટે ઘટનાસ્થળે (Mumbai Eid Milad Procession) પહોંચી ગયો હતો. બહારથી આવતી ભીડને વિસ્તારમાં પ્રવેશતી અટકાવવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે બેરિકેડ્સ ગોઠવી દીધા હતા તથા પરેલ-ચિંચપોકલી વિસ્તાર તરફ જતા અનેક રસ્તાઓ તેમજ ભાયખલા-લાલબાગ-પરેલ બ્રિજ પરનો વાહનવ્યવહાર કામચલાઉ ધોરણે બંધ કરી દીધો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં સ્ટેટ સિક્યુરિટી બ્રાન્ચ (State Security Branch) સહિતના વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

સત્તાવાર અપડેટ આપતાં મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર મનોજ શર્માએ પુષ્ટિ કરી હતી કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોઈન્ટ કમિશનર શર્માએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લેવામાં આવી છે અને હાલમાં સંપૂર્ણ શાંતિ છે, જ્યારે સાવચેતીના ભાગરૂપે કડક સુરક્ષા બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે.

પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી

સ્થાનિક કાયદા અમલીકરણ સત્તાવાળાઓએ હિંસા તરફ દોરી ગયેલી ઘટનાઓની શ્રેણીબદ્ધ તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ હાથાપાઈ અને બોલાચાલી થઈ હોવાની પુષ્ટિ કરી છે અને ઉમેર્યું છે કે તેઓ પથ્થરમારો કરવા, બેનરો તોડવા અને રસ્તાઓ રોકવામાં સામેલ શંકાસ્પદોની ઓળખ કરવા માટે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલા વીડિયો (Viral Video) ફૂટેજની તપાસ કરી રહ્યા છે.

મહાનગરપાલિકા (BMC) અને મુંબઈ પોલીસે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા કે ઓનલાઈન ઉશ્કેરણીજનક સામગ્રી શેર ન કરવા અપીલ કરી છે. પરેલ અને ચિંચપોકલી વિસ્તારમાં શાંતિ અને જાહેર સુરક્ષા જાળવી રાખવા માટે હાઈ-લેવલ પોલીસ પેટ્રોલીંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK