Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: દાદર કબૂતરખાના પરની તાડપત્રી હટી, ફરી લાગી

ન્યૂઝ શોર્ટમાં: દાદર કબૂતરખાના પરની તાડપત્રી હટી, ફરી લાગી

Published : 02 March, 2026 07:23 AM | Modified : 02 March, 2026 07:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફરી એક વાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ તાડપત્રી લગાવી દીધી હતી.

તસવીરઃ આશિષ રાજે

તસવીરઃ આશિષ રાજે


દાદર કબૂતરખાના પર કોર્ટે આપેલા નિર્દેશને લઈને તાડપત્રી ઢાંકીને એ કવર કરી લેવાયું હતું. જોકે ગઈ કાલે એક ટીનેજરે એ તાડપત્રી હટાવી દીધી હતી. જોકે આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. એ પછી ફરી એક વાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ તાડપત્રી લગાવી દીધી હતી. 

ફેબ્રુઆરીમાં UPI પેમેન્ટમાં રેકૉર્ડ તૂટી ગયો, ૨૮ દિવસમાં થયા ૨૬ લાખ કરોડ રૂપિયાના વ્યવહાર



ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે અને ફેબ્રુઆરીના માત્ર ૨૮ દિવસમાં લોકોએ રેકૉર્ડ તોડી નાખ્યો છે. ફેબ્રુઆરીમાં UPI વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે ૨૭ ટકા વધીને ૨૦.૩૯ અબજ થઈ ગઈ હતી. આ સમયગાળા દરમ્યાન UPI વ્યવહારોનું મૂલ્ય વાર્ષિક ધોરણે બાવીસ ટકા વધીને ૨૬.૮૪ લાખ કરોડ રૂપિયા થયું હતું. નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીમાં સરેરાશ વ્યવહાર વૉલ્યુમ ૯૫,૮૬૫ કરોડ રૂપિયા હતું જે જાન્યુઆરીમાં ૯૧,૪૦૩ કરોડ રૂપિયાની સરખામણીમાં વધારે હતું. ફેબ્રુઆરીમાં દરરોજ સરેરાશ ૭૨૮ મિલ્યન વ્યવહારો થયા જે જાન્યુઆરીમાં ૭૦૦ મિલ્યન રહ્યા હતા.એક અભ્યાસ મુજબ UPI ચુકવણીના સૌથી પસંદગીના માધ્યમ તરીકે ઊભરી આવી છે જે ભારતમાં કુલ ચુકવણી-વ્યવહારોના ૫૭ ટકાનો હિસ્સો ધરાવે છે. એ રોકડ વ્યવહારો (૩૮ ટકા)ને વટાવી ગઈ છે.


બોલે સો નિહાલ સત શ્રી અકાલ


સિખોના ગુરુ શ્રી તેગ બહાદુર સિંહના ૩૫૦મા શહીદ દિન નિમિત્તે નવી મુંબઈના ખારઘરમાં આયોજિત કરાયેલા હિન્દ-દી-ચાદરના સમારોહમાં ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે પધાર્યા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે પણ આ બે દિવસીય કાર્યક્રમમાં હાજરી આપી હતી. શાલ અને ચિહ્‍ન આપીને સિખ સમાજે તેમનું અભિવાદન કર્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે સિખ સમુદાયને સંબોધતાં પહેલાં ‘બોલે સો નિહાલ સત શ્રી અકાલ’નો નારો લગાવ્યો હતો જે હજારોની સંખ્યામાં હાજર રહેલા સિખ સમુદાયે ઉપાડી લીધો હતો. અમિત શાહે આ પ્રસંગે ધર્માંતરણ રોકવાની હાકલ પંજાબ સરકારને કરી હતી.

હોલી કે રંગ

વરલી માર્કેટમાં ગઈ કાલે હોળી નિમિત્તે ખરીદદારી નીકળી હતી અને દુકાનદારોએ પણ બાળકો, યુવાનોને અને રસિયાઓને લોભાવવા વિવિધ રંગ વેચવા મૂક્યા હતા. સાથે જ પરંપરાગત પિચકારી સાથે અલગ-અલગ આકારની વિવિધ રંગોની નાની-મોટી પિચકારીઓ વેચવા માટે લટકાવીને હોળીને રંગીન બનાવી દીધી હતી. તસવીરઃ આશિષ રાજે

હોળી નિમિત્તે અનિષ્ટનું દહન

હોળી નિમિત્તે વરલીમાં BDD ચાલ બિલ્ડિંગ-નંબર ૧૦૧ના યુવાનોએ અનિષ્ટને બાળવા પ્રતીકાત્મક ૩૫ ફુટનું આતંકવાદી શેતાનનું પૂતળું બનાવ્યું છે જે આજે હોળીના દિવસે બાળવામાં આવશે. આ જ BDD ચાલના બિલ્ડિંગ-નંબર ૭૬-૭૭ના સિદ્ધિવિનાયક મંડળના યુવાનોએ પણ શેતાનનું પૂતળું બનાવ્યું હતું. ગઈ કાલે એને લગાડતાં પહેલાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. ​તસવીરો : આશિષ રાજે

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK