Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે નૉમિનેટેડ કૉર્પોરેટર બનવા લાઇન લાગી- એકનાથ શિંદેની મૂંઝવણ: ૧ બેઠક સામે દાવેદાર ૬

હવે નૉમિનેટેડ કૉર્પોરેટર બનવા લાઇન લાગી- એકનાથ શિંદેની મૂંઝવણ: ૧ બેઠક સામે દાવેદાર ૬

Published : 21 January, 2026 07:17 AM | Modified : 21 January, 2026 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેના (UBT)ના કિસ્સામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો સપોર્ટ મળતાં જીતવામાં આવેલી બેઠકોની સંખ્યા વધારી શકાય છે.

એકનાથ શિંદે

એકનાથ શિંદે


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી હવે બધાનું ધ્યાન ‘નૉમિનેટેડ કૉર્પોરેટર’ તરીકે કોને નિયુક્ત કરવામાં આવશે એના પર છે. ખાસ કરીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં એક બેઠક માટે છ જણ રસ ધરાવતા હોવાથી તેઓ મૂંઝવણમાં છે. પક્ષવાર તાકાત અને નૉમિનેટેડ કૉર્પોરેટરની ગણતરી જોતાં BMCના ૨૨૭ ચૂંટાયેલા કૉર્પોરેટરોમાં કુલ ૧૦ સ્વીકૃત કૉર્પોરેટરોની નિમણૂક કરવામાં આવે છે. નિયમો મુજબ દર ૨૩ નગરસેવકો સામે એક નૉમિનેટેડ નગરસેવક હોય છે. શિંદે સામે મોટો પડકાર એ છે કે ચૂંટણી દરમિયાન ઘણા લોકોને સ્વીકૃત પદોનું વચન આપવામાં આવ્યું છે પરંતુ હકીકતમાં તેમના ૨૯ નગરસેવક ચૂંટાઈ આવ્યા હોવાથી ફક્ત એક જ નૉમિનેટેડ બેઠક હોવાથી પાર્ટી કોને તક આપશે એ જોવું મહત્ત્વપૂર્ણ રહેશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઇચ્છુક ઉમેદવારોની સંખ્યા વધવાની શક્યતા છે. ઘણા વરિષ્ઠ નેતાઓ અને તેમના પુત્રો હવે પાર્ટી હાઈ કમાન્ડને ‘અપીલ’ કરી રહ્યા છે, જ્યારે શિવસેના (UBT)ના કિસ્સામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો સપોર્ટ મળતાં જીતવામાં આવેલી બેઠકોની સંખ્યા વધારી શકાય છે. કૉન્ગ્રેસ અપક્ષોની મદદથી એ બેઠકો મેળવવાના પ્રયાસ કરી રહી છે. BMCમાં હવે આ ૧૦ બેઠકો માટે કોણ ઉમેદવાર બનશે એ વિશે પડદા પાછળ મોટો જંગ શરૂ થઈ ગયો છે.

શિવસેનાના નગરસેવકો હોટેલમાંથી બહાર આવ્યા



એ પહેલાં 29 નગરસેવકોએ કોકણ ડિવિઝનલ કમિશનર પાસે એક જૂથ તરીકે નોંધણી કરાવી


એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે કૉર્પોરેટરોએ ૧૬ જાન્યુઆરીએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ બાંદરાની ફાઇવસ્ટાર હોટેલમાં ૩ દિવસની શિબિરમાં ભાગ લઈને આખરે ગઈ કાલે હોટેલ છોડી હતી. હોટેલ છોડતાં પહેલાં ૨૯ કૉર્પોરેટરોએ કોંકણ ડિવિઝનલ કમિશનર પાસે એક જૂથ તરીકે નોંધણી કરાવી હતી જે ચૂંટણી પછી ફરજિયાત પ્રક્રિયા હતી. શિવસેનાના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે તેમના હોટેલ-રોકાણ દરમ્યાન નવા ચૂંટાયેલા કૉર્પોરેટરોને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસેથી તેમણે કેવી રીતે કામ કરવું એ વિશે માર્ગદર્શન મળ્યું હતું. જોકે એવી અટકળો ચાલી રહી હતી કે ૨૨૭ સભ્યોની BMCમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન હોવાથી શિવસેનાએ નગરસેવકો બીજા પક્ષમાં ચાલ્યા ન જાય એ ડરથી તેમને અલગ કરી દીધા હતા. આ ચૂંટણીમાં મહાયુતિના તેમના સાથી પક્ષ BJPને ૮૯ બેઠક મળતાં એ સૌથી મોટો પક્ષ તરીકે ઊભરી આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK