Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણેના દગડુશેઠ ગણપતિ આ વર્ષે ગણેશોત્સવમાં વૃંદાવનના પ્રેમ મંદિરમાં બિરાજશે

પુણેના દગડુશેઠ ગણપતિ આ વર્ષે ગણેશોત્સવમાં વૃંદાવનના પ્રેમ મંદિરમાં બિરાજશે

Published : 23 June, 2026 02:36 PM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે દગડુશેઠ ગણપતિ વૃંદાવનના પ્રેમ મંદિરમાં બિરાજશે.

દગડુશેઠ ગણપતિ

દગડુશેઠ ગણપતિ


આ વર્ષે પુણેના પ્રખ્યાત દગડુશેઠ ગણપતિ ૧૩૪મો ગણેશોત્સવ ઊજવશે. દર વર્ષની જેમ આ વર્ષના ડેકોરેશનની થીમ શું હશે એની રાહ જોવાઈ રહી હતી. હવે શ્રીમંત દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ દ્વારા આ વર્ષની થીમની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દગડુશેઠ ગણપતિ વૃંદાવનના પ્રેમ મંદિરમાં બિરાજશે.

પ્રેમ મંદિરની પ્રતિકૃતિ ૧૨૦ ફુટ લંબાઈ, ૯૦ ફુટ પહોળાઈ અને લગભગ ૧૦૦ ફુટ ઊંચાઈ ધરાવતી હશે. વૃંદાવનના પ્રખ્યાત સફેદ આરસપહાણના મંદિરની જેમ કોતરણીવાળા સ્તંભો, ગુંબજ અને એક વિશાળ ગર્ભગૃહ ઊભું કરવામાં આવશે જેમાં ભક્તોને દૂરથી પણ બાપ્પાનાં દર્શન થઈ શકશે. સાથે જ શ્રીકૃષ્ણની રાસલીલા, ગોવર્ધનલીલા અને ઝૂલા રાધા અને કૃષ્ણની મોટી મૂર્તિથી મંડપ શણગારવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 02:36 PM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK