Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સર્જક રામ સુતારને મળશે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર

સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સર્જક રામ સુતારને મળશે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર

Published : 21 March, 2025 11:07 AM | Modified : 22 March, 2025 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦૦ વર્ષની ઉંમરે પણ સક્રિય આ આર્ટિસ્ટે અત્યાર સુધીમાં ૭૫,૦૦૦થી વધુ શિલ્પ-મૂર્તિ બનાવ્યાં છે

રામ સુતાર

રામ સુતાર


વિશ્વમાં ભારતનું માથું શાનથી ઊંચું કરનારું ગુજરાતનું સ્ટૅચ્યુ ઑફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું ૧૮૨ મીટર ઊંચું સ્ટૅચ્યુ બનાવનારા મહારાષ્ટ્રના જાણીતા શિલ્પકાર રામ સુતારને વર્ષ ૨૦૨૪ માટે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કરી હતી. ૧૦૦ વર્ષની ઉંમરે પણ સક્રિય શિલ્પકાર રામ સુતારને પચીસ લાખ રૂપિયા કૅશ, માનપત્ર અને શાલ આપીને સન્માનિત કરવામાં આવશે. કોંકણના રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું અને મુંબઈની ચૈત્યભૂમિમાં તૈયાર કરવામાં આવી રહેલું ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક માટેનું પૂતળું રામ સુતાર જ બનાવી રહ્યા છે.


૧૯૨૫ની ૧૯ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના ધુળેમાં આવેલા ગોંડુર નામના ગામમાં ગરીબ કુટુંબમાં શિલ્પકાર રામ સુતારનો જન્મ થયો હતો. તેમણે મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં શિક્ષણ મેળવ્યું હતું. ૧૯૬૦માં તેમણે સ્વતંત્ર આર્ટ સ્ટુડિયોની સ્થાપના કરી હતી અને અત્યાર સુધી દેશ-વિદેશના મહાનુભાવોનાં ૭૫,૦૦૦થી વધુ સ્ટૅચ્યુ બનાવ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK