Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તેજસ્વી ઘોસાળકર શિવસેના (UBT) માંથી રાજીનામું આપ્યા પછી ઉદ્ધવ ઠાકરેને મળ્યા

તેજસ્વી ઘોસાળકર શિવસેના (UBT) માંથી રાજીનામું આપ્યા પછી ઉદ્ધવ ઠાકરેને મળ્યા

Published : 14 May, 2025 09:16 PM | Modified : 14 May, 2025 09:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

UBTના સમર્થકો દ્વારા ઠાકરે અને ઘોસાળકર વચ્ચેની બેઠકને પક્ષને થતાં નુકસાન નિયંત્રણમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે, જેમાં પક્ષના નેતાઓ ઘોસાળકરને જાળવી રાખવા અને વધુ પક્ષપલટા અટકાવવાની આશા રાખે છે.

ઉદ્ધવ ઠાકરે અને તેજસ્વી ઘોસાળકર

ઉદ્ધવ ઠાકરે અને તેજસ્વી ઘોસાળકર


કી હાઇલાઇટ્સ

  1. રાજીનામું આપ્યાના એક દિવસ પછી બુધવારે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા
  2. ઉદ્ધવ ઠાકરેએ ફોન પર વ્યક્તિગત રીતે તેમનો સંપર્ક કર્યો
  3. ઉદ્ધવજીએ મારી ફરિયાદો સાંભળી. સંતોષકારક જવાબો મળ્યા પછી હું આગળના નિર્ણયો લઈશ

મહારાષ્ટ્રના રાજકારણમાં હજી સુધી અનેક ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે. તાજેતરમાં દહિસરથી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (યુબીટી) શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટર અને શિવસેનાના ધારાસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્રવધૂ તેજસ્વી ઘોસાળકરે પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી બુધવારે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.


ઉદ્ધવ ઠાકરેએ ફોન પર વ્યક્તિગત રીતે તેમનો સંપર્ક કર્યો અને તેમને ચર્ચા માટે આમંત્રણ આપ્યું તે પછી આ મુલાકાત થઈ. ઘોસાળકર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાશે તેવી વ્યાપક અટકળો વચ્ચે આ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. મીટિંગ બાદ મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેજસ્વીએ કહ્યું, “ઉદ્ધવજીએ મારી ફરિયાદો સાંભળી. સંતોષકારક જવાબો મળ્યા પછી હું આગળના નિર્ણયો લઈશ. હું સ્પષ્ટ કરવા માગુ છું કે હું અન્ય કોઈ પક્ષમાં જોડાઈ નથી.”



ભાજપમાં જોડાવાની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું, “મેં ભાજપમાં જોડાવાનો કોઈ નિર્ણય લીધો નથી. હું હજી પણ શિવસેના યુબીટી સાથે છું. મેં હજી સુધી કોઈ દગો કર્યો નથી.” તેજસ્વીએ પાર્ટીના સ્થાનિક નેતૃત્વ પ્રત્યે પોતાની નિરાશા પણ વ્યક્ત કરતા કહ્યું કે તેમણે તેમના મતવિસ્તારમાં વણઉકેલાયેલા મુદ્દાઓને ઉજાગર કરતા પત્રો UBT વિભાગ પ્રમુખ અને વિભાગ સંયોજકને સુપરત કર્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. "તેથી જ મારે ઉદ્ધવ ઠાકરેનો સીધો સંપર્ક કરવો પડ્યો," તેજસ્વી ઘોસાળકરે કહ્યું.


UBTના સમર્થકો દ્વારા ઠાકરે અને ઘોસાળકર વચ્ચેની બેઠકને પક્ષને થતાં નુકસાન નિયંત્રણમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે, જેમાં પક્ષના નેતાઓ ઘોસાળકરને જાળવી રાખવા અને વધુ પક્ષપલટા અટકાવવાની આશા રાખે છે.

ઉત્તર મુંબઈના દહિસર વિધાનસભા મતવિસ્તારમાં સેના (UBT) ની મહિલા વિંગના વડા ઘોસાળકર, ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્રવધૂ છે. તેમના પતિ, અભિષેક ઘોસાળકરની 2024 ની શરૂઆતમાં સ્થાનિક રહેવાસી મૌરિસ નોરોન્હા દ્વારા કથિત રીતે ફેસબુક લાઇવ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અભિષેક BMC ના ભૂતપૂર્વ કોર્પોરેટર પણ હતા.


ઠાકરે પરિવાર સાથે ઘોસાળકર પરિવારનો લાંબો સંબંધ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર અને ભૂતપૂર્વ મંત્રી આદિત્ય, તેમની પત્ની રશ્મિ ઠાકરે અભિષેકના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી, જે પરિવાર સાથેના ગાઢ સંબંધોને દર્શાવે છે.

આ બધી રાજકીય અટકળો વચ્ચે એવા પણ સમાચાર છે કે શિવસેનાથી જુદા થયેલા ઉદ્ધવ ઠાકરેના ભાઈ રાજ ઠાકરે તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે આવશે. આ અંગે બન્ને પક્ષના વડા સહિત બીજા મહત્ત્વના મોટા નેતાઓ પણ આ અંગે ઘણા ઇશારા આપ્યા છે, જોકે સત્તાવાર રીતે કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 09:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK