Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીની નાગરિકતાને પડકારતી અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી, આ શરતે કર્યો તેનો નિકાલ

રાહુલ ગાંધીની નાગરિકતાને પડકારતી અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી, આ શરતે કર્યો તેનો નિકાલ

Published : 14 May, 2025 02:55 PM | IST | Prayagraj
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rahul Gandhi Citizenship Case: અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતા વિવાદ સંબંધિત અરજી ફગાવી દીધી; કોર્ટે અરજદારને સમીક્ષા અરજી દાખલ કરવાની મંજૂરી આપી

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર


કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની નાગરિકતા વિવાદ કેસ (Rahul Gandhi Citizenship Case)માં અલ્હાબાદ (Allahabad) હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી ફગાવી દેવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ની લખનઉ (Lucknow) બેન્ચે અરજદારને સમીક્ષા અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે અને પાછી ખેંચવાના આધારે નવી અરજી ફગાવી દીધી છે. અરજીમાં નાગરિકતા મુદ્દાના કેસ દરમિયાન તેમના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, અરજદાર વિગ્નેશ શિશિર દ્વારા ગાંધીની નાગરિકતાને પડકારતી આ ત્રીજી અરજી છે. તેની અગાઉની અરજીઓ પણ કોર્ટે ફગાવી દીધી હતી.


આજે, ન્યાયાધીશ અટ્ટાઉ આર મસૂદી (Attau R Masoodi) અને ન્યાયાધીશ અજય કુમાર શ્રીવાસ્તવ (Ajai Kumar Srivastava)ની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, ગાંધી પાસે બીજો પાસપોર્ટ કે અન્ય નાગરિકતા છે તે સાબિત કરવા માટે કોઈ પુરાવા રેકોર્ડ પર લાવવામાં આવ્યા નથી. બેન્ચે વધુમાં નોંધ્યું હતું કે, અરજદારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે, અને જ્યાં સુધી કોર્ટ સમક્ષ કાયદેસર રીતે વાજબી કંઈક રજૂ ન થાય ત્યાં સુધી તે મેદાનમાં પ્રવેશી શકતી નથી. આખરે, કોર્ટે શિશિરને અગાઉના આદેશની સમીક્ષા ફાઇલ કરવાની સ્વતંત્રતા સાથે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી.



શિશિરે દલીલ કરી હતી કે ગાંધી બ્રિટિશ પાસપોર્ટ સાથે વિયેતનામ (Vietnam)માં પ્રવેશતા દર્શાવતો એક વીડિયો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે યુકે સરકારે પાસપોર્ટ ભારત સરકારને મોકલ્યો હતો. જોકે, બેન્ચ દલીલોથી સંતુષ્ટ ન હતી અને અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.


૫ મેના રોજ જ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચ દ્વારા નેતા રાહુલ ગાંધીની નાગરિકતાના આ જ વિવાદ પર અરજદાર વિગ્નેશ શિશિર ની અરજી ફગાવી દેવામાં આવી હતી. નવી અરજી દાખલ કરતી વખતે, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક નવા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. આ અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

આ અરજી કર્ણાટક (Karnataka)ના એસ વિગ્નેશ શિશિરે દાખલ કરી હતી. જોકે, કોર્ટે કહ્યું કે અરજદાર પાસે ફગાવી દેવાયેલી અરજીમાં સમીક્ષા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. અરજદાર એસ વિગ્નેશ શિશિરે રાહુલ ગાંધીની નાગરિકતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન - સીબીઆઇ (Central Bureau of Investigation - CBI) તપાસની માંગ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લોકસભા (Lok Sabha)માં વિપક્ષના નેતા પાસે યુનાઇટેડ કિંગડમ – યુકે (United Kingdom - UK)ની નાગરિકતા છે.


અરજદારે આરોપ લગાવ્યો હતો કે, તેમની પાસે એવા પુરાવા છે જે સાબિત કરે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિકતા ધરાવે છે. અરજદારે એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા અંગે સક્ષમ અધિકારીને બે વાર ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 02:55 PM IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK