Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Thane Fire: થાણેના ગાંવદેવી ભાજી માર્કેટમાં ભીષણ આગ- બે લોકોનાં મોત

Thane Fire: થાણેના ગાંવદેવી ભાજી માર્કેટમાં ભીષણ આગ- બે લોકોનાં મોત

Published : 21 May, 2026 10:26 AM | Modified : 21 May, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thane Fire: વહેલી પરોઢે ભીષણ આગ લાગી હતી. આગ ઓલવવા માટે આવેલ સુરક્ષા કર્મચારી કાળુ ગાડેકર અને અગ્નિશમન દળના જવાન સાગર શિંદે આ બંનેના મોત થયા છે.

તસવીર ટીએમસી દ્વારા

તસવીર ટીએમસી દ્વારા


Thane Fire: થાણેના નૌપાડામાં આવેલ ગોખલે રોડ પરના ગાંવદેવી ભાજી માર્કેટમાં આજે વહેલી પરોઢે ભીષણ આગ લાગી હતી. આગ ઓલવવા માટે આવેલ સુરક્ષા કર્મચારી કાળુ ગાડેકર અને અગ્નિશમન દળના જવાન સાગર શિંદે આ બંનેના મોત થયા છે. આ બંનેને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ઉપચાર દરમિયાન બંનેએ શ્વાસ છોડ્યો હતો. 

સ્થાનિક કોર્પોરેટર સંજય વાઘુળે દ્વારા વહેલી પરોઢે આશરે 3:43 વાગ્યે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને (Thane Fire) આ બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ તરત અગ્નિશામક અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે માટે સિવિક બોડી અને ઇમરજન્સી સેવા પૂરી પડતી એજન્સીઓ સ્થળ પર દોડી આવી હતી. તે ઉપરાંત નાયબ કમિશનરો, મેઇન ફાયર અધિકારી, આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને MSEDCL સ્ટાફ સહિત વરિષ્ઠ સિવિક અધિકારીઓ સુદ્ધાં આ સ્થળ પર કામગીરીની દેખરેખ માટે પહોંચી ગયા હતા.



આગ વધારે વકરે નહીં અને નુકસાન ન થાય તે માટે ફાયર બ્રિગેડ (Thane Fire) તરફથી પાંચ ફાયર એન્જિન, જમ્બો વોટર ટેન્કર, રેસ્ક્યૂ વાહનો, એમ્બ્યુલન્સ અને પ્રાઇવેટ વોટર ટેન્કર મોકલી દેવામાં આવ્યા હતા. આ તમામના સહિયારા પ્રયાસોથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.


સદનસીબે, વહેલી પરોઢનો સમય હોવાથી પાલિકાની વોર્ડ સમિતિની ઓફિસ બંધ હતી એટલે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ કમિટી ઓફિસમાં સુરક્ષા ગાર્ડ કાળુ ગાડેકર બિલ્ડિંગના પહેલા ફ્લોર પર ફસાયેલા હતા. કાળુ અને ફાયરમેન કલાકો સુધી એકબીજા સાથે મોબાઇલ ફોન પર કોન્ટેક્ટમાં હતા. ફાયર બ્રિગેડના જવાન સાગર શિંદે આગમાં ફસાયેલા સુરક્ષા ગાર્ડ કાળુ ગાડેકરને બચાવવા માટે અંદર ગયા હતા. પરંતુ કમનસીબે કાળુ ગાડેકર અને જવાન સાગર શિંદે બંનેનું ગૂંગળામણને કારણે મોત થયું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસ કરાયા હતા અને આગ ઓલવાઈ હતી.

તમને જણાવી દઈએ કે ભાજી માર્કેટમાં શાકભાજી કરતાં કપડાનો વ્યવસાય (Thane Fire) વધુ છે. કહેવાઇ રહ્યું છે કે અહીં રાત્રે 25થી 30 વેપારીઓ સૂઈ રહ્યા હતા. પરંતુ તાત્કાલિક હસ્તક્ષેપથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી.


થાણેના કોલશેત વિસ્તારમાં વેરહાઉસ અને ગેરેજમાં ભીષણ આગ

આગની એક અન્ય ઘટનાની વાત (Thane Fire) કરીએ તો મંગળવારે સવારે થાણેના કોલશેત વિસ્તારમાં કાર્ડબોર્ડ વેરહાઉસ અને નજીકના ગેરેજમાં મોટી આગ લાગી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. એમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર થાણે પશ્ચિમના તારિચા પાડામાં પાઇપલાઇન રોડ પર લાસ્ટ બસ સ્ટોપ નજીક સવારે 7:40 વાગ્યે આ ઘટના બની હતી. માહિતી મળ્યા પછી તરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓ પિક-અપ વાહન સાથે સ્થળ પર દોડી ગયા હતા, જ્યારે ફાયર બ્રિગેડની ટીમોએ આગને કાબૂમાં લેવા માટે બે ફાયર એન્જિન અને જમ્બો વોટર ટેન્કર તૈનાત કર્યા હતા.

 

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK