Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાયંદર વાસીઓ પાણી સાચવીને વાપરજો! ૨૪ કલાકનો પાણીકાપ

મીરા-ભાયંદર વાસીઓ પાણી સાચવીને વાપરજો! ૨૪ કલાકનો પાણીકાપ

Published : 06 May, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thane Water Cut: મીરારોડ અને ભાયંદરના રહેવાસીઓને આવનારા બે દિવસ માટે ૨૪ કલાક પાણીકાપનો સામનો કરવો પડશે, મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ ૭ મે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી ૮ મે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી પાણીકાપની જાહેરાત કરી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


મુંબઈ (Mumbai)માં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો ત્યારે અનેક વિસ્તારોમાં વિવિધ કારણોસર પાણીકાપની સમસ્યાનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. હવે પાણીકાપની યાદીમાં મીરારોડ (Mira Road) અને ભાયંદર (Bhayandar)નો પણ સમાવેશ થઈ ગયો છે. મીરા-ભાયંદરના અમુક વિસ્તારોમાં ૨૪ કલાકનો પાણીકાપ છે.

મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (Mira-Bhayandar Municipal Corporation)એ ગુરુવારે બપોરથી મીરા-ભાયંદર શહેરના કેટલાક ભાગોમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (Maharashtra Industrial Development Corporation - MIDC) તરફથી પાણી પુરવઠો ૨૪ કલાક માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.



મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ જાહેર કરી એડવાઇઝરી


મીરા-ભાયંદર મહાનગરપાલિકા (MBMC)ના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગના જણાવ્યા અનુસાર, જાંભુલ ખાતેના બારવી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીનો પુરવઠો ૭ મે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી ૮ મે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, શટડાઉન દરમિયાન STEM ઓથોરિટી દ્વારા પૂરો પાડવામાં આવતો પાણીનો પુરવઠો ચાલુ રહેશે. જો કે, જ્યાં સુધી MIDC પુરવઠો પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી રહેવાસીઓને પાણીના ઓછા દબાણ અને પાણી પુરવઠામાં વિલંબનો સામનો (Mira-Bhayandar Water Cut) કરવો પડી શકે છે.


ભવિષ્યમાં પાણીની અછત નિવારવા માટે લેવાયો નિર્ણય

MBMCએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસું મોડું આવવાની ચિંતાને ધ્યાનમાં રાખીને ૨૩ એપ્રિલના રોજ જળ સંપત્તિ વિભાગ સાથે મળેલી બેઠકમાં પાણી કાપ (Thane Water Cut) લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાએ ચોમાસામાં અપેક્ષિત વિલંબ પાછળ અલ નીનો (El Nino) અને ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD)ની અસરને જવાબદાર ગણાવી હતી.

વધુમાં ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં પાણીની તીવ્ર અછત ઊભી ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.

૫ મેના રોજ લગભગ ૧૯૯ MLD પાણી મળ્યું

MBMCના ડેટા મુજબ, ૫ મેના રોજ શહેરને દરરોજ કુલ ૧૯૯.૩૮૩ મિલિયન લિટર (MLD) પાણી મળ્યું હતું.

કુલ પુરવઠામાંથી ૧૧૭.૦૫૭ MLD પાણી MIDC તરફથી મળ્યું હતું, જ્યારે ૮૨.૩૨૬ MLD પાણી STEM ઓથોરિટી તરફથી આવ્યું હતું.

મહાનગરપાલિકાની પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ

MBMCએ રહેવાસીઓને પાણીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અને કામચલાઉ વિક્ષેપના સમયગાળા દરમિયાન વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરી છે.

થાણેમાં પણ ગુરુવારે પાણીકાપ

થાણે મહાનગરપાલિકા (Thane Municipal Corporation)ના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC) દ્વારા હાથ ધરવામાં આવનારી જાળવણીની કામગીરીને કારણે ૭ મેના રોજ ગુરુવાર બપોરથી થાણેના વિવિધ ભાગોમાં ૨૪ કલાક માટે પાણી પુરવઠો ખોરવાશે.

મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, આ શટડાઉન ૭ મે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી શરૂ થશે અને ૮ મે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ કામગીરીમાં જાંભુલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના જળાશય ખાતે બારવી ગ્રેવિટી પાઈપલાઈન ૧, ૨ અને ૩ ના તાત્કાલિક સમારકામ અને અપગ્રેડેશનો સમાવેશ થાય છે.

થાણે મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન દિવા, મુબ્રા (વોર્ડ નંબર ૨૬ અને ૩૧ ના કેટલાક ભાગો સિવાય) અને કલવા વોર્ડ સમિતિઓ હેઠળના વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

આ ઉપરાંત, વાગલે વોર્ડ સમિતિમાં આવતા રૂપાડેવી પાડા, કિસાન નગર નંબર ૨, નહેરુ નગર અને માનપાડા વોર્ડ સમિતિ હેઠળના લોઅર કોલશેત ગામમાં પણ ૨૪ કલાકનો પાણી કાપ રહેશે, તેમ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK