Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉટનગ્રીન સ્ટેશનમાંથી બહાર નીકળવાનો રસ્તો બંધ કરી દેવાયો

કૉટનગ્રીન સ્ટેશનમાંથી બહાર નીકળવાનો રસ્તો બંધ કરી દેવાયો

Published : 19 April, 2025 09:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્રવારથી રેલવેએ કૉટનગ્રીન સ્ટેશનમાંથી બહાર નીકળવાનો રસ્તો કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના પતરાં લગાવીને બંધ કરી દીધો છે

કૉટનગ્રીન રેલવે-સ્ટેશનમાં રેલવેએ અચાનક બહાર નીકળવાનો રસ્તો બંધ કરી દેવાથી લોકોએ રેલવેલાઇન ક્રૉસ કરીને બહાર જવું પડે છે.

કૉટનગ્રીન રેલવે-સ્ટેશનમાં રેલવેએ અચાનક બહાર નીકળવાનો રસ્તો બંધ કરી દેવાથી લોકોએ રેલવેલાઇન ક્રૉસ કરીને બહાર જવું પડે છે.


હાર્બર રેલવેલાઇનમાં આવેલા કૉટનગ્રીન સ્ટેશનમાં ગયા શુક્રવારથી સ્ટેશનમાંથી રે રોડ તરફ બહાર નીકળવાનો રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં પતરાં લગાવી દીધાં છે એટલે લોકોએ જીવના જોખમે રેલવેલાઇન ક્રૉસ કરવી પડતી હોવાનું જાણવા મળ્યું હતું.


મલાડમાં રહેતા અને કાલાચૌકીમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતા સિદ્ધાર્થ જોગીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારથી રેલવેએ કૉટનગ્રીન સ્ટેશનમાંથી બહાર નીકળવાનો રસ્તો કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના પતરાં લગાવીને બંધ કરી દીધો છે. રેલવેએ સ્ટેશનમાંથી રે રોડ તરફ બહાર નીકળવાનો કોઈ પર્યાયી રસ્તો નથી આપ્યો. કૉટનગ્રીન રેલવે-સ્ટેશન પર મારા જેવા હજારો પ્રવાસીઓ દરરોજ મુસાફરી કરે છે. કોઈ પણ પ્લાનિંગ વગર રેલવેએ એક અને બે નંબરના પ્લૅટફૉર્મની વચ્ચે બૅરિકેડ્સ મૂકી દીધાં છે જેને લીધે અમારે રેલવેલાઇન ક્રૉસ કરવા સિવાય કોઈ રસ્તો નથી રહેતો. આ ખૂબ જ ગંભીર બાબત છે એટલે રેલવેએ આ વિશે તાત્કાલિક વિચાર કરીને લોકોને બહાર નીકળવા માટે પર્યાયી માર્ગ બનાવવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2025 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK