Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની પાણીની મુશ્કેલી દૂર કરવા ૩૧૦૫ કરોડ રૂપિયાના ખર્ચે વાડામાં નવો ડૅમ બનાવવામાં આવશે

મુંબઈની પાણીની મુશ્કેલી દૂર કરવા ૩૧૦૫ કરોડ રૂપિયાના ખર્ચે વાડામાં નવો ડૅમ બનાવવામાં આવશે

Published : 19 April, 2025 11:36 AM | Modified : 20 April, 2025 07:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગારગાઈ ડૅમને વન અને પર્યાવરણ સંબંધી મંજૂરી આપી દીધી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાણીની તંગી પણ વધી રહી છે. ભવિષ્યમાં પાણીની સમસ્યા દૂર થઈ શકે એ માટે મહારાષ્ટ્રના પ્રધાનમંડળે ૩૧૦૫ કરોડ રૂપિયાના ખર્ચે નવો ડૅમ બનાવવાને મંજૂરી આપી છે. એટલું જ નહીં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગારગાઈ ડૅમને વન અને પર્યાવરણ સંબંધી મંજૂરી આપી દીધી છે. આથી આગામી સમયમાં પાલઘર જિલ્લાના વાડા તાલુકાના ઓંગદે ગામ પાસે ગારગાઈ ડૅમ બનાવવામાં આવશે. આ ડૅમ તૈયાર થઈ ગયા બાદ મુંબઈને અત્યારે પાણીપુરવઠો કરવામાં આવે છે એમાં ૧૧ ટકાનો વધારો થશે. ગારગાઈ ડૅમ મુંબઈમાં પાણી પૂરું પાડતો પાલઘર અને થાણે જિલ્લામાં છઠ્ઠો તો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ચોથો ડૅમ હશે. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK