સમૃદ્ધિ મહામાર્ગનો ત્રીજો તબક્કો ટૂંક સમયમાં પૂરો થશે
સમૃદ્ધિ મહામાર્ગ
મુંબઈને નાગપુર સાથે જોડતા ૭૦૧ કિલોમીટર લાંબા સમૃદ્ધિ મહામાર્ગનો ૭૬ કિલોમીટરનો ભિવંડીથી લઈને ઇગતપુરી સુધીનો ત્રીજો તબક્કો પૂરો થવામાં છે અને ટૂંક સમયમાં એ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનું બીજી મેએ લોકાર્પણ કરે એવી શક્યતાઓ છે.
સમૃદ્ધિ એક્સપ્રેસવેનો આ ત્રીજો તબક્કો ચાલુ થશે એટલે મુંબઈ-નાશિક વચ્ચેનું અંતર પણ એક કલાક ઓછું થઈ જશે. આ ત્રીજા તબક્કામાં કુલ પાંચ ટનલ છે. ઇગતપુરીની ટનલ ૧૧ કિલોમીટર લાંબી છે જે વિશ્વની સૌથી લાંબી ટનલ હશે. એને કારણે કસારા ઘાટનું અંતર કાપતાં અગાઉ પચીસ મિનિટ લાગતી હતી એ ફક્ત આઠ જ મિનિટમાં કાપી શકાશે. આ ટનલમાં લેટેસ્ટ ફાયરફાઇટિંગ સિસ્ટમ બેસાડવામાં આવી છે.
ADVERTISEMENT
સમૃદ્ધિ મહામાર્ગ થાણે, અહમદનગર, નાશિક, ઔરંગાબાદ, જાલના, બુલઢાણા, વાશિમ, અમરાવતી, વર્ધા અને નાગપુર એમ કુલ ૧૦ જિલ્લામાંથી પસાર થવાનો છે.

