Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વ હિન્દુ પરિષદની જાહેરાત : નવરાત્રિમાં મુસ્લિમોને નો એન્ટ્રી

વિશ્વ હિન્દુ પરિષદની જાહેરાત : નવરાત્રિમાં મુસ્લિમોને નો એન્ટ્રી

Published : 06 September, 2026 09:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મહારાષ્ટ્રમાં નવરાત્રિ દરમ્યાન થનારા રાસ-ગરબામાં મુસ્લિમોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મહારાષ્ટ્રમાં નવરાત્રિ દરમ્યાન થનારા રાસ-ગરબામાં મુસ્લિમોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત નવરાત્રિ માટે કેટલાક કડક નિયમો પણ તૈયાર કર્યા છે. નવરાત્રિ દરમ્યાન આયોજકોએ શું કરવું અને શું નહીં એની યાદી જ તેમણે આપી છે. 
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા અને જૉઇન્ટ સેક્રેટરી શ્રીરાજ નાયરે કહ્યું હતું કે ‘નવરાત્રિમાં ગરબા અને દાંડિયામાં મુસ્લિમોને પ્રવેશ ન આપવાનું અમે નક્કી કર્યું છે. એ સિવાય હિન્દુઓની ઓળખ કરવા માટે તેમના આધાર કાર્ડની ચકાસણી કરવાની અને કપાળ પર તિલક કરવાની હાકલ પણ કરી છે. નવરાત્રિનો ઉત્સવ ફક્ત નાચવા-ગાવાનો નથી, સાથે માતાજીની ભક્તિનો પણ છે. મૂર્તિપૂજાનો વિરોધ કરતા મુસ્લિમોએ એમાં કેમ હાજર રહેવું જોઈએ? એથી મુસ્લિમોને નવરાત્રિમાં પ્રવેશ ન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એમ છતાં VHP કોઈ સમુદાયની વિરોધમાં નથી. તહેવારો એ હિન્દુ સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. એનું મૂલ્ય અમે ઓછું નહીં થવા દઈએ. આ નિયમો સાવચેતી જાળવવા બનાવવામાં આવ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK