Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર વંદે ભારત ટ્રેનને હવે નવસારી પર સ્ટૉપ

મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર વંદે ભારત ટ્રેનને હવે નવસારી પર સ્ટૉપ

Published : 23 August, 2025 11:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે આ વિશે માહિતી આપી હતી

વંદે ભારત ટ્રેન

વંદે ભારત ટ્રેન


મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આવતી કાલ ૨૪ ઑગસ્ટથી નવસારી પર વધારાનું સ્ટૉપેજ આપવામાં આવ્યું હોવાનું વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે.


વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘લોકોને સુવિધા મળી રહે એ માટે વંદે ભારતને નવસારી સ્ટૉપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૪ ઑગસ્ટથી ટ્રેન-નંબર ૨૦૯૦૧ (મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કૅપિટલ) સવારે ૮.૪૩ વાગ્યે નવસારી આવશે અને ૮.૪૫ વાગ્યે ઊપડશે, જ્યારે ૨૩ ઑગસ્ટથી ૨૦૯૦૨ (ગાંધીનગર કૅપિટલ-મુંબઈ સેન્ટ્રલ) સાંજે ૫.૨૭ વાગ્યે નવસારી આવશે અને ૫.૨૯ ઊપડશે. લોકો ટિકિટ બુક કરાવવા માટે રેલવેના પોર્ટલ પર એ માટેની જાણકારી મેળવી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK