કટરાથી શ્રીનગરને જોડનારી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાની તક મામલે ઓમર અબ્દુલ્લાએ મોટી માગ કરી છે. તેમણે પીએમ મોદીને કહ્યું કે મારું ડિમોશન થઈ ગયું. મને આશા છે કે ટૂંક સમયમાં જ જમ્મૂ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે અને...
ઓમર અબ્દુલ્લા
કટરાથી શ્રીનગરને જોડનારી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાની તક મામલે ઓમર અબ્દુલ્લાએ મોટી માગ કરી છે. તેમણે પીએમ મોદીને કહ્યું કે મારું ડિમોશન થઈ ગયું. મને આશા છે કે ટૂંક સમયમાં જ જમ્મૂ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે અને આ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કટરામાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન કટરાથી શ્રીનગર સુધી જશે અને પહેલીવાર કાશ્મીર ઘાટી બાકીના ભારત સાથે ટ્રેનના માધ્યમે જોડાઈ શકશે. વંદે ભારતને લીલી ઝંડી બતાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલનો પ્રવાસ કર્યો અને ત્યાં તિરંગો લહેરાવ્યો. કટરાથી શ્રીનગર સુધી ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ઉધમપુર, શ્રીનગર અને બારામુલ્લા રેલ લિંકનો એક ભાગ છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત, ઓમર અબ્દુલ્લા, એલજી મનોજ સિન્હા અને રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવ હાજર હતા.
ADVERTISEMENT
આ દરમિયાન, ઓમર અબ્દુલ્લાએ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે મને ડિમોશન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં જમ્મુ અને કાશ્મીર માટે શરૂ કરાયેલા તમામ રેલ પ્રોજેક્ટ્સના લોકાર્પણ પ્રસંગે હું પીએમ મોદી સાથે હાજર રહ્યો છું તે મારું સૌભાગ્ય છે. તેમણે કહ્યું કે પહેલો કાર્યક્રમ અનંતનાગ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન હતું. પછી બીજો કાર્યક્રમ બનિહાલ ટનલનું ઉદ્ઘાટન હતું. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે મને યાદ છે કે 2014માં કટરા રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન સમયે હું પણ ત્યાં હતો. આજે સ્ટેજ પર બેઠેલા બધા 4 લોકો તે દિવસે પણ ત્યાં હતા. મનોજ સિન્હા તે સમયે રેલવે રાજ્યમંત્રી હતા. હવે તેમને જમ્મુ અને કાશ્મીરના એલજી પદ પર બઢતી આપવામાં આવી છે.
બીજી બાજુ, મને ડિમોશન આપવામાં આવ્યું છે. હું એક રાજ્યનો મુખ્યમંત્રી હતો અને આજે હું એક કેન્દ્રશાસિત પ્રદેશનો મુખ્યમંત્રી છું. આ દરમિયાન તેમણે ઈશારાઓમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી ઉઠાવી. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં વસ્તુઓ સામાન્ય થઈ જશે. મને આશા છે કે પીએમ નરેન્દ્ર મોદી જલ્દી જ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ આપણા માટે એક ઐતિહાસિક દિવસ છે અને આ સાથે જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ વિકાસ શક્ય બન્યો છે કારણ કે પીએમ નરેન્દ્ર મોદી પોતે સક્રિય રહ્યા છે અને દરેક ક્ષણે કાશ્મીરના વિકાસના અપડેટ્સ લઈ રહ્યા છે.
આ પ્રસંગે ઓમર અબ્દુલ્લાએ ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા. અબ્દુલ્લાએ કહ્યું કે જો વાજપેયીજીને યાદ ન કરવામાં આવે તો તે પણ અન્યાય થશે. તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયી જ હતા જેમણે કાશ્મીર માટે ટ્રેનને રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ ગણાવ્યો હતો.

