Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વસ્તીગણતરી વખતે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં કપલ્સને પરિણીત જેવાં જ માનવામાં આવશે

વસ્તીગણતરી વખતે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં કપલ્સને પરિણીત જેવાં જ માનવામાં આવશે

Published : 31 March, 2026 07:16 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વસ્તીગણતરીમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં કપલ્સને પરિણીત દંપતી તરીકે ગણવામાં આવશે

વસ્તીગણતરી

વસ્તીગણતરી


કોરોના રોગચાળાને કારણે ભારતમાં વસ્તીગણતરી અટકી ગઈ હતી, પણ એપ્રિલ મહિનાથી આ પ્રક્રિયા શરૂ થવાની છે જે ૨૦૨૭ના ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ વસ્તીગણતરીમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં કપલ્સને પરિણીત દંપતી તરીકે ગણવામાં આવશે. વસ્તીગણતરી કરનારા અધિકારીઓ આવાં કપલ્સને આપત્તિજનક સવાલ પૂછશે નહીં. તેઓ જે જાણકારી આપશે એને પણ ગુપ્ત રાખવામાં આવશે, એ કોઈની સાથે શૅર કરવામાં આવશે નહીં.

આ સંદર્ભમાં વસ્તીગણતરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે વસ્તીગણતરી, ૧૯૪૮ની કલમ ૧૧ હેઠળ અધિકારીઓ આપત્તિજનક સવાલ નહીં પૂછે અને જો એવું કરશે તો તેમને ૧૦૦૦ રૂપિયાનો દંડ અને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સંદર્ભમાં આપવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી જાણીજોઈને અનુચિત પ્રશ્ન પૂછશે અથવા ખોટી જાણકારી આપશે તો તેને દંડ થશે. 


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 07:16 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK