Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જંતરમંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં ૨૮૭૩ ગુનેગારો પહોંચ્યા હોવાનો દિલ્હી પોલીસનો દાવો

જંતરમંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં ૨૮૭૩ ગુનેગારો પહોંચ્યા હોવાનો દિલ્હી પોલીસનો દાવો

Published : 28 July, 2026 10:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઈ-ટેક કૅમેરા અને ફેશ્યલ રેકગ્નિશન સિસ્ટમની મદદથી ઓળખ કરવામાં આવી, કાયદો-વ્યવસ્થા ખોરવવાનો આક્ષેપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીના જંતરમંતર પર વીસથી પચીસ જુલાઈ દરમ્યાન યોજાયેલા વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનના સ્થળે ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ૨૮૭૩ અસામાજિક તત્ત્વો હાજર રહ્યાં હોવાનો ચોંકાવનારો ખુલાસો દિલ્હી પોલીસે કર્યો છે. હાઈ-ટેક ફેશ્યલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) અને CCTV કૅમેરાના માધ્યમથી આ તમામની ઓળખ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ દિલ્હીના સીલમપુર, ચાંદબાગ, જાફરાબાદ તથા દક્ષિણ-પૂર્વ દિલ્હીના જામિયાનગર, શાહીનબાગ અને ઓખલા જેવા વિસ્તારોમાંથી આ શંકાસ્પદો વિરોધ-પ્રદર્શનના સ્થળે પહોંચ્યા હતા. ઓળખાયેલા લોકોમાંથી ૯૮૯ જેટલા શંકાસ્પદો હત્યા, જાતીય સતામણી, અપહરણ અને લૂંટ જેવા ગંભીર અપરાધોમાં સંડોવાયેલા ગુનેગારો છે.
દિલ્હી પોલીસને આશંકા છે કે વિદ્યાર્થી-આંદોલનની ઓથમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાના હેતુથી આ અસામાજિક તત્ત્વોને મોકલવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત પાકિસ્તાનસ્થિત સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ દ્વારા તેમને ઉશ્કેરવામાં આવી રહ્યાં હતાં કે કેમ એ દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. ૨૦ જુલાઈએ જંતરમંતર પર ફાટી નીકળેલી હિંસામાં આ ગુનેગારોની ભૂમિકા વિશે પણ દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK