Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આપણે માતા વૈષ્ણોદેવીનાં દર્શને જવું પડશે, લોકોને આહ‍્વાન કરવું પડશે

આપણે માતા વૈષ્ણોદેવીનાં દર્શને જવું પડશે, લોકોને આહ‍્વાન કરવું પડશે

Published : 04 June, 2025 11:59 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાશ્મીરમાં પર્યટકોની ઘટતી સંખ્યાથી ચિંતિત ફારુક અબદુલ્લા કહે છે…

ફારુક અબદુલ્લા

ફારુક અબદુલ્લા


જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાએ રાજ્યમાં ઘટતી પર્યટકોની સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ગઈ કાલે તેમણે જણાવ્યું હતું કે ‘હાલમાં જ બનેલી હિંસાત્મક ઘટનાઓ અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકોમાં ડરનો માહોલ સર્જાયેલો છે. આપણે માતા વૈષ્ણોદેવીના દરબાર જઈને લોકોને આહ‍્વાન કરવું પડશે. આપણે લોકોને આકર્ષવા માટે માતા વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવાની જરૂર છે. આપણે કટરા જઈને લોકોને વિનંતી કરવી જોઈએ કે તેઓ માતા વૈષ્ણોદેવીનાં દર્શન માટે આવે. પવિત્ર યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરમાં પહલગામમાં બનેલી ઘટનાની અસર સમગ્ર દેશમાં અનુભવાઈ છે.’


ફારુક અબદુલ્લાએ તાજેતરમાં કટરા ખાતે એક આશ્રમમાં યોજાયેલા ભજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યાં તેમણે ‘તૂને મુઝે બુલાયા શેરાવાલીએ’ ભજન ગાઈને હાજર શ્રદ્ધાળુઓને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે કટરા ખાતે રોપવે પ્રોજેક્ટ વિશે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મંદિરના સંચાલકોને એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ જેનાથી સ્થાનિક લોકોનાં હિતોને નુકસાન પહોંચે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 11:59 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK