Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આંધ્ર પ્રદેશમાં તાતાનગર-એર્નાકુલમ એક્સપ્રેસના બે AC ડબ્બામાં આગ

આંધ્ર પ્રદેશમાં તાતાનગર-એર્નાકુલમ એક્સપ્રેસના બે AC ડબ્બામાં આગ

Published : 30 December, 2025 09:54 AM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક પ્રવાસીએ જીવ ગુમાવ્યો, બન્ને કોચ બળી ગયા

ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી રહી છે

ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી રહી છે


રવિવારની મધરાત પછી ૧૨.૪૫ વાગ્યે આંધ્ર પ્રદેશમાં તાતાનગર-એર્નાકુલમ એક્સપ્રેસના બે ઍર-કન્ડિશન્ડ (AC) ડબ્બામાં આગ ફાટી નીકળતાં ૭૦ વર્ષના ચંદ્રશેખર સુંદરમે જીવ ગુમાવ્યો હતો. જોકે ટ્રેન ઊભી રાખી દેવામાં આવી હોવાથી ઘણા મુસાફરોએ રેલવે-પ્લૅટફૉર્મ પર ઊતરીને તેમનો જીવ બચાવ્યો હતો. વિશાખાપટનમથી લગભગ ૬૬ કિમી દૂર યેલામંચિલીમાં બે AC કોચમાં આગ લાગી હતી. આ બે ડબ્બામાં પ્રવાસ કરી રહેલા આશરે ૧૫૮ મુસાફરોનો સામાન બળી ગયો હતો. આગમાં આ બે AC કોચ ભસ્મીભૂત થયા હતા. એક્સપ્રેસના કોચ B1માં આગ લાગી હતી, પછી એ કોચ M2માં ફેલાઈ હતી. આગની જ્વાળાઓથી ગભરાયેલા મુસાફરો ઇમર્જન્સી ચેઇન ખેંચીને ટ્રેનમાંથી બહાર દોડી ગયા હતા. જ્યારે આગ લાગી ત્યારે એક કોચમાં ૮૨ મુસાફરો અને બીજા કોચમાં ૭૬ મુસાફરો હતા. પોલીસે કોચ B1માંથી એક મૃતદેહ બહાર કાઢ્યો હતો.

B1 કોચની બ્રેક વધુ ગરમ થવાને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2025 09:54 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK