Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી ઍરપોર્ટ પર અકસ્માત;ઍર ઇન્ડિયા ફ્લાઇટના પાવર યુનિટમાં લેન્ડિંગ બાદ લાગી આગ

દિલ્હી ઍરપોર્ટ પર અકસ્માત;ઍર ઇન્ડિયા ફ્લાઇટના પાવર યુનિટમાં લેન્ડિંગ બાદ લાગી આગ

Published : 22 July, 2025 07:03 PM | Modified : 22 July, 2025 07:05 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Fire in Air India Flight: દિલ્હી ઍરપોર્ટ પર એક અકસ્માત થયો છે. અહેવાલ છે કે ઍર ઇન્ડિયાના વિમાનમાં લેન્ડિંગની સાથે જ આગ લાગી ગઈ હતી. અહેવાલ અનુસાર, દિલ્હી ઍરપોર્ટ પર લેન્ડિંગ થતાં જ ઍર ઇન્ડિયાના વિમાનના સહાયક પાવર યુનિટમાં આગ લાગી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)


દિલ્હી ઍરપોર્ટ પર એક અકસ્માત થયો છે. અહેવાલ છે કે ઍર ઇન્ડિયાના વિમાનમાં લેન્ડિંગની સાથે જ આગ લાગી ગઈ હતી. ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, હોંગકોંગથી દિલ્હી ઍરપોર્ટ પર લેન્ડિંગ થતાં જ ઍર ઇન્ડિયાના વિમાનના સહાયક પાવર યુનિટમાં આગ લાગી ગઈ હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું કહેવાય છે.


ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઍરપોર્ટ પર લેન્ડિંગ પછી તરત જ ઍર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી ગઈ હતી. ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘટના પછી મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. જો કે, આગને કારણે વિમાનને થોડું નુકસાન થયું છે.



પીટીઆઈના અહેવાલ મુજબ, હોંગકોંગથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર AI 315 ના એક યુનિટમાં લેન્ડિંગ પછી તરત જ આગ લાગી ગઈ. વિમાનના સહાયક પાવર યુનિટ (Auxiliary Power Unit) માં આગ લાગવાની આ ઘટના ત્યારે બની જ્યારે મુસાફરો ઉતરવા લાગ્યા. જો કે, લેન્ડિંગ પછી APU આપમેળે બંધ થઈ ગયું.


વધુ તપાસ માટે વિમાનને ઍરપોર્ટ પર રોકવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન સલામતી નિયમનકાર DGCA (Directorate General of Civil Aviation) ને પણ આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે. અધિકારીઓ તેમનું કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે એરલાઇન કંપનીએ મંગળવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેણે તેના બોઇંગ 787 અને 737 વિમાનોના કાફલાના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચના લોકીંગ સિસ્ટમની સાવચેતી તપાસ પૂર્ણ કરી લીધી છે.

વધુ તપાસ માટે વિમાનને ઍરપોર્ટ પર રોકવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન સલામતી નિયમનકાર DGCA ને પણ આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે. ટીમ તેનું કામ કરી રહી છે. નોંધનીય છે કે આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે એરલાઇન કંપનીએ મંગળવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેણે તેના બોઇંગ 787 અને 737 વિમાનોના કાફલાના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચના લોકીંગ સિસ્ટમની સાવચેતી તપાસ પૂર્ણ કરી લીધી છે.


ઍર ઇન્ડિયાએ પોતાના બધા બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનોના ઈંધણ નિયંત્રણ સ્વિચના લૉકિંગ સિસ્ટમ માટેની સાવચેતીના પગલાંરૂપે કરવામાં આવેલું નિરીક્ષણ પૂરું કરી લીધું છે. રૉયટર્સ પ્રમાણે વિમાન કંપનીએ જણાવ્યું કે નિરીક્ષણમાં કોઈ ખામી મળી નથી. ઍર ઈન્ડિયાએ સુરક્ષા માનકોનું પાલન કરતાં આ પગલું લીધું છે જેથી વિમાનોનું સંચાલન યોગ્ય રીતે ચાલુ રહે.

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2025 07:05 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK