Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જેનો પતિ જીવતો નથી એવી હિન્દુ મહિલા તેના સસરા પાસેથી ભરણપોષણ માગી શકે : અલાહાબાદ હાઈ કોર્ટનો ચુકાદો

જેનો પતિ જીવતો નથી એવી હિન્દુ મહિલા તેના સસરા પાસેથી ભરણપોષણ માગી શકે : અલાહાબાદ હાઈ કોર્ટનો ચુકાદો

Published : 02 April, 2026 12:51 PM | IST | Allahabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ‘લગ્ન પછી પુત્રીને ટેકો આપવાની સામાન્ય રીતે પિતાની કોઈ જવાબદારી હોતી નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અલાહાબાદ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે પતિની પત્નીનું ભરણપોષણ કરવાની જવાબદારી તેના મૃત્યુ પછી પણ સમાપ્ત થતી નથી, તેથી હિન્દુ વિધવાને તેના સસરા પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું હતું કે ‘એ એક સુસ્થાપિત સિદ્ધાંત છે કે પતિ તેની પત્નીનું ભરણપોષણ કરવા માટે બંધાયેલો છે. આ જવાબદારી તેના મૃત્યુ પછી પણ ચાલુ રહે છે અને કાયદો વિધવાને તેના સસરા પાસેથી ભરણપોષણ મેળવવાની પરવાનગી આપે છે.’

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ‘લગ્ન પછી પુત્રીને ટેકો આપવાની સામાન્ય રીતે પિતાની કોઈ જવાબદારી હોતી નથી, સિવાય કે જ્યારે તે વિધવા હોય. જો તેનાં માતા-પિતા તેની અથવા તેનાં બાળકોની સંભાળ રાખવામાં કે ભરણપોષણ કરવામાં અસમર્થ હોય તો કાયદા હેઠળ તે તેના પતિની મિલકતમાંથી અથવા તેના સસરા પાસેથી ભરણપોષણ માગી શકે છે. જોકે તેણે ફરી લગ્ન ન કર્યાં હોવાં જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 12:51 PM IST | Allahabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK