ખાતર માટે આત્મનિર્ભર થવાનું પગલું : હાલમાં દેશની જરૂરિયાતનું લગભગ ૭૧ ટકા યુરિયા મિડલ ઈસ્ટથી આવે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકા અને ઈરાનના યુદ્ધને કારણે ભારતમાં યુરિયાની અછત સર્જાઈ છે. આ સંકટનો ઉકેલ કાઢવા માટે ભારત અને રશિયાએ સાથે મળીને ફર્ટિલાઇઝર પ્લાન્ટ લગાવવાની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. આ પ્લાન્ટ રશિયાના સમારામાં નાખવામાં આવશે જે આગામી બે વર્ષમાં દેશની મહત્તમ જરૂરિયાત પૂરું કરે એટલું યુરિયા પ્રોડક્શન કરવા લાગશે.
હાલમાં ભારતની જરૂરિયાતનું ૭૧ યુરિયા ટકા મિડલ ઈસ્ટના દેશોમાંથી આયાત થાય છે. ભારત-રશિયાના સહિયારા પ્રોજેક્ટમાં લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે. એમાં વીસ લાખ ટન યુરિયા પ્રોડક્શનની ક્ષમતા છે.
