Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > LPG કટોકટી વચ્ચે PM મોદીએ પેટ્રોલિયમ મંત્રી અને વિદેશ મંત્રી સાથે બેઠક યોજી

LPG કટોકટી વચ્ચે PM મોદીએ પેટ્રોલિયમ મંત્રી અને વિદેશ મંત્રી સાથે બેઠક યોજી

Published : 10 March, 2026 05:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અધિકારીઓએ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે થતી સંભવિત અછત અંગે ચર્ચા કરી. આ દરિયાઈ માર્ગ સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઉર્જા શિપિંગ લેનમાંથી એક છે. તે ભારત માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે દેશની LPG આયાતનો મોટો હિસ્સો આ માર્ગમાંથી પસાર થાય છે.

પ્રતીકાત્મક તસવીર અને નરેન્દ્ર મોદી

પ્રતીકાત્મક તસવીર અને નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં ઈરાન-ઇઝરાયલ-યુએસ સંઘર્ષની ભારતના લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગૅસ LPG સપ્લાય પર થતી અસરની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંભવિત પુરવઠા વિક્ષેપોનું મૂલ્યાંકન કરવા અને દેશમાં રસોઈ ગૅસની ઉપલબ્ધતા જાળવવા માટે પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા અંગે ચિંતા



અધિકારીઓએ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે થતી સંભવિત અછત અંગે ચર્ચા કરી. આ દરિયાઈ માર્ગ સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઉર્જા શિપિંગ લેનમાંથી એક છે. તે ભારત માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે દેશની LPG આયાતનો મોટો હિસ્સો આ માર્ગમાંથી પસાર થાય છે. ભારત તેની LPG જરૂરિયાતનો લગભગ 62 ટકા આયાત કરે છે. આ આયાતમાંથી, લગભગ 85 થી નેવું ટકા સાઉદી અરેબિયા જેવા ખાડી દેશોમાંથી હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ દ્વારા આવે છે. આ માર્ગમાં કોઈપણ વિક્ષેપ ભારતની ઉર્જા સુરક્ષા અને પુરવઠા પર અસર કરી શકે છે. ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંઘર્ષ અને લશ્કરી કાર્યવાહીને કારણે થયેલા વિક્ષેપ બાદ, સરકારે આકસ્મિક આયોજન શરૂ કર્યું છે. અધિકારીઓ આ અછતને પહોંચી વળવા માટે વૈકલ્પિક પુરવઠા સ્ત્રોતોની પણ શોધ કરી રહ્યા છે.


ભારતમાં LPG વપરાશ અને વિતરણ

ભારત દર વર્ષે લગભગ 31.3 મિલિયન ટન LPG વાપરે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કુલ LPG વપરાશના લગભગ 87 ટકા ઘરોમાં થાય છે. બાકીના તેર ટકા કમર્શિયલ ક્ષેત્ર દ્વારા ઉપયોગમાં લેવાય છે, જેમાં હૉટેલ રેસ્ટોરન્ટ અને કેટલાક ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઘરગથ્થુ પુરવઠો અવિરત જાળવવા માટે, સરકારે ઘરેલુ રસોઈ ગૅસ વિતરણને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કેટલાક વિસ્તારોમાં કમર્શિયલ ગૅસ વાપરનાર માટે પુરવઠાની અછત સર્જાઈ છે. મુંબઈ અને બૅન્ગલુરુ સહિતના અનેક હૉસ્પિટાલિટી હબમાં કમર્શિયલ ક્ષેત્ર માટે પુરવઠામાં ઘટાડો થવાને કારણે પહેલાથી જ વિક્ષેપોની જાણ થઈ છે. ઇન્ડિયા હૉટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને પણ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રોલિયમ મંત્રાલયે પુરવઠા પડકારને પહોંચી વળવા માટે ઘણા કટોકટીના પગલાં રજૂ કર્યા છે. રિફાઇનરીઓને પેટ્રોકેમિકલ આઉટપુટ ઘટાડીને અને સંસાધનોને LPG તરફ રીડાયરેક્ટ કરીને LPG ઉત્પાદન વધારવા સૂચના આપવામાં આવી છે. સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે, સરકારે ઘરેલુ LPG વપરાશકર્તાઓ માટે રિફિલ બુકિંગ સાયકલ લંબાવ્યું છે. બુકિંગ વચ્ચેનો રાહ જોવાનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. આયાતી LPG પણ હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા આવશ્યક બિન-ઘરેલુ ક્ષેત્રોમાં વાળવામાં આવી રહી છે જેથી મહત્ત્વપૂર્ણ સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહે.


કમર્શિયલ ફાળવણી માટે સમિતિની રચના

કમર્શિયલ યુઝર્સ માટે વિતરણનું સંચાલન કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની બનેલી એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ હૉટેલ રેસ્ટોરન્ટ અને અન્ય ઉદ્યોગોની વિનંતીઓની સમીક્ષા કરશે. જરૂરિયાતની ગુણવત્તા અને ઉત્પાદનની ઉપલબ્ધતાના આધારે ફાળવણીનો નિર્ણય લેવામાં આવશે. સરકારે કહ્યું કે આ પગલાં સ્થાનિક ગ્રાહકોને સુરક્ષિત રાખવા અને વૈશ્વિક ઉર્જા માર્ગોને અસર કરતી કટોકટી દરમિયાન સ્થિર LPG પુરવઠો જાળવવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 05:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK