Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મનમોહન સિંહની હાલતમાં સુધાર, વડાપ્રધાન મોદીએ જલદી સ્વસ્થ થવાની કરી કામના

મનમોહન સિંહની હાલતમાં સુધાર, વડાપ્રધાન મોદીએ જલદી સ્વસ્થ થવાની કરી કામના

14 October, 2021 01:49 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગત રોજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, હાલમાં તેમની સ્થિતમાં સુધાર છે.

મનમોહન સિંહ

મનમોહન સિંહ


પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને AIIMS માં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ડૉક્ટર નીતીશ નાયકના નેતૃત્વમાં એમ્સ કાર્ડિયો ટાવર ખાતે ડૉકટરોની ટીમ દ્વારા મનમોહન સિંહની સારવાર કરવામાં આવી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા તેમને તાવ આવ્યો હતો, ત્યારબાદ ડૉક્ટરોની સલાહ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તેમને મળવા એઈમ્સ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહને તાવ અને નબળાઈના કારણે ગઈકાલે બુધવારે  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p




>

પ્રધાનમંત્રી મોદીએ મનમોહન સિંહના સારા સ્વાસ્થ્ય અને જલદી સ્વસ્થ થવાની કામના પણ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, `હું મનમોહન સિંહજીના સારા સ્વાસ્થ્ય અને તેમની જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.`


AIIMS ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, `89 વર્ષના કોંગ્રેસ નેતાને તાવના પરીક્ષણ માટે દિલ્હી AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા, તેમની સ્થિતિ સ્થિર છે.` કોંગ્રેસ પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેમને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો. તાવ ઓછો થયા બાદ તે નબળાઈ અનુભવી રહ્યો હતો. આવી સ્થિતિમાં ડૉક્ટરોની સલાહ પર પૂર્વ પીએમ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ડોકટરોની દેખરેખ હેઠળ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2021 01:49 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK