Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > `મુસ્લિમો RSSમાં ત્યારે જ જોડાઈ શકશે જ્યારે તે...`- મોહન ભાગવતે મૂકી આ શરત

`મુસ્લિમો RSSમાં ત્યારે જ જોડાઈ શકશે જ્યારે તે...`- મોહન ભાગવતે મૂકી આ શરત

Published : 07 April, 2025 07:58 PM | IST | Varanasi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

RSSના પ્રમુખ મોહન ભાગવતને તાજેતરમાં પૂછવામાં આવ્યું કે શું મુસલમાન RSS શાખામાં સામેલ થઈ શકે છે? આને લઈને મોહન ભાગવતે એક શરત પૂરી કરવા માટે કહ્યું છે.

મોહન ભાગવત (તસવીર સૌજન્ય મિડ-ડે)

મોહન ભાગવત (તસવીર સૌજન્ય મિડ-ડે)


RSSના પ્રમુખ મોહન ભાગવતને તાજેતરમાં પૂછવામાં આવ્યું કે શું મુસલમાન RSS શાખામાં સામેલ થઈ શકે છે? આને લઈને મોહન ભાગવતે એક શરત પૂરી કરવા માટે કહ્યું છે.


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત વારાણસીના 4 દિવસીય પ્રવાસ પર ગયા હતા. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે કરવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મોહન ભાગવતે એક શરત પૂરી કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે તે મુસલમાન જે ભારત માતા કી જયના સૂત્રો અને ભગવા ઝંડાનું માન રાખે છે તે શાખામાં સામેલ થઈ શકે છે. RSS પ્રમુખે આ વાત રવિવારની સવાર એટલે 6 એપ્રિલ 2025ના રોજ સવારે કહી હતી.



શું મુસ્લિમો RSS માં જોડાઈ શકે છે?
વાસ્તવમાં, મોહન ભાગવત વારાણસીના લાજપત નગર કૉલોનીમાં RSSની એક શાખામાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જાતિ ભેદભાવ, પર્યાવરણ અને અર્થતંત્રને દૂર કરવા અને એક મજબૂત સમાજ સ્થાપવા વિશે વાત કરી. કાર્યક્રમમાં એક સ્વયંસેવકે RSS વડાને પૂછ્યું કે શું મુસ્લિમો RSSમાં જોડાઈ શકે છે, જેનો RSS વડાએ જવાબ આપ્યો.


આ શરત પૂરી કરવી પડશે
RSS વડાએ કહ્યું, `શાખા (RSS)માં બધા ભારતીયોનું સ્વાગત છે, પરંતુ શરત માત્ર એટલી છે કે શાખામાં જોડાવા આવતા દરેક વ્યક્તિએ ભારત માતા કી જયના સૂત્રો લગાવવામાં કોઈ ખચકાટ ન અનુભવવો જોઈએ અને તેમણે ભગવા ધ્વજ પ્રત્યે પણ આદર દર્શાવવો જોઈએ.` મોહન ભાગવતના આ જવાબની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

શાખામાં સૌનું સ્વાગત
મોહન ભાગવતે વધુમાં કહ્યું કે ભારતમાં લોકોના ધર્મ અલગ અલગ હોવા છતાં, દરેકની સંસ્કૃતિ સમાન છે. તેમણે કહ્યું કે ભારતના તમામ ધર્મો, સંપ્રદાયો અને જાતિના લોકોનું દરેક શાખામાં સ્વાગત છે. તમને જણાવી દઈએ કે મોહન ભાગવતે લાજપત નગરમાં કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા શનિવાર 5 એપ્રિલ 2025 ના રોજ સાંજે કાશીના વૈદિક વિદ્વાનો સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે વિદ્વાનો સાથે ભારતને વિશ્વ ગુરુ (વિશ્વ નેતા) બનાવવાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવા વિશે વાત કરી.


ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે બીજી એપ્રિલના રોજ નાગપુરમાં ‘યુગંધર શિવરાય નિયોજન આણિ વ્યવસ્થાપનાચે દીપસ્તંભ’ નામના મરાઠી પુસ્તકનું વિમોચન કર્યું હતું ત્યારે કહ્યું હતું કે ‘ઇસ્લામિક આક્રમણને લીધે ભારત ખતમ થવાની સ્થિતિ હોવા છતાં છત્રપતિ શિવાજી મહારાજે બહાદુરીથી વિદેશી આક્રમણ કરનારાઓ સામે લડીને હિંદવી સ્વરાજની સ્થાપના કરી હતી. તેમણે કરેલા કામને જોઈને જ સંઘના પહેલા ત્રણેય સરસંઘચાલકોએ તેમના સમયમાં કહ્યું હતું કે સંઘ તત્ત્વરૂપે કામ કરે છે અને વ્યક્તિવાદને માનતો ન હોવા છતાં કોઈ સાકાર આદર્શની જરૂર પડે છે. પૌરાણિક કાળમાં હનુમાનજી અને આધુનિક સમયમાં છત્રપતિ શિવાજી મહારાજ સિવાય બીજો કોઈ આદર્શ નથી. આટલા સમય પછી પણ શિવાજી મહારાજ આપણને પ્રેરણા આપી રહ્યા છે અને આપણા આદર્શ છે. આગરાની કેદમાંથી શિવાજી મહારાજ જીવતા પાછા આવશે કે કેમ એવી શંકા હતી ત્યારે તેઓ હેમખેમ પાછા આવ્યા. રાજ્યને ફરી શક્તિવાન બનાવ્યું. તેમના પરાક્રમથી વિદેશી સત્તાનો અંત આવ્યો. બુંદેલખંડ અને રાજસ્થાનને મુગલોથી મુક્ત કરાવ્યાં. શિવાજી મહારાજે ભારતના સતત પરાજયના યુગને બદલ્યો. આ યુગ કાયમ રહે એ માટે શિવાજી મહારાજે જે કરવું પડે એ બધું કર્યું. આથી જ શિવાજી મહારાજ તેમના સમયથી અત્યાર સુધી આપણા આદર્શ છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2025 07:58 PM IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK