Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહલગામ હુમલાની તપાસ NIAને સોંપાઈ

પહલગામ હુમલાની તપાસ NIAને સોંપાઈ

Published : 28 April, 2025 11:39 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

NIA છેલ્લા કેટલાક દિવસોથી ઘાયલ લોકોનાં નિવેદનો નોંધી રહી છે અને આતંકવાદી સંગઠનોના ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્ર સરકારે બાવીસમી એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી છે. આ હુમલાને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત ગણાવાયો છે, જેને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાએ પોતાના ફ્રન્ટ સંગઠન ધ રેસિસન્સ ફ્રન્ટ (TRF) દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. હવે આ હુમલાની તપાસ IG વિજય સાખરેના નેતૃત્વમાં NIAની ટીમ કરશે, જે અંગે ગૃહમંત્રાલયે આદેશ જાહેર કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર NIA હવે જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી કેસ પોતાના હાથમાં લેવાની પ્રક્રિયામાં છે. NIA છેલ્લા કેટલાક દિવસોથી ઘાયલ લોકોનાં નિવેદનો નોંધી રહી છે અને આતંકવાદી સંગઠનોના ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2025 11:39 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK