બંગલાદેશની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી BNPના અધ્યક્ષ તારિક રહમાને વાતવાતમાં કહી દીધું...
તારિક રહમાન
બંગલાદેશમાં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ તારિક રહમાને શનિવારે પહેલી વાર મીડિયા સાથે વાતચીત કરી હતી. એ દરમ્યાન તેમણે ભારત-બંગલાદેશના સંબંધો સાથે સંકળાયેલા સવાલો પર ઠંડો પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે ‘અમે બંગલાદેશના હિતને સૌથી ઉપર રાખીશું. અમારી વિદેશનીતિમાં દેશ અને દેશવાસીઓનું હિત સૌથી પહેલાં આવે છે. તેમનાં હિતોની રક્ષા કરીને અમે વિદેશનીતિ નક્કી કરીશું.’
બીજી તરફ ચીન સાથે મળીને કામ કરવાનો ઉત્સાહ અને આશા બતાવતાં તારિક રહમાને કહ્યું હતું કે ‘ચીન બંગલાદેશના વિકાસનું સહયોગી છે. ભવિષ્યમાં બંગલાદેશ અને ચીન સાથે મળીને કામ કરશે.’
ADVERTISEMENT
શેખ હસીના માટે કાનૂની પ્રક્રિયા
ભારતમાં શરણ લઈ રહેલાં બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને પાછાં બંગલાદેશમાં લાવવા માટે શું કરવામાં આવશે એવા સવાલના જવાબમાં તારિક રહમાને કહ્યું હતું કે આ સંપૂર્ણપણે કાનૂની પ્રક્રિયા પર નિર્ભર રહેશે.


