Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વંદે માતરમ‍્ને પણ હવે જન ગણ મન જેવો દરજ્જો મળશે, ગાતી વખતે ઊભા થવું પડશે

વંદે માતરમ‍્ને પણ હવે જન ગણ મન જેવો દરજ્જો મળશે, ગાતી વખતે ઊભા થવું પડશે

Published : 25 January, 2026 07:24 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સરકારે એના માટે પ્રોટોકૉલ બનાવવાની ચર્ચાવિચારણા શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ જેવો જ દરજ્જો અને સન્માન આપવા માટે એક ઔપચારિક પ્રોટોકૉલ બનાવવાનું ગંભીરતાથી વિચારી રહી છે. આ સંદર્ભમાં આ મહિનાની શરૂઆતમાં ગૃહમંત્રાલય દ્વારા યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન બન્નેને સમાન આદર મળે છે, પરંતુ વ્યાવહારિક અને કાનૂની બન્ને રીતે બન્ને માટેના નિયમોમાં નોંધપાત્ર તફાવત છે. જ્યારે રાષ્ટ્રગાન દરમ્યાન ઊભા રહેવું કાયદેસર રીતે ફરજિયાત છે અને એનું અપમાન રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ હેઠળ સજાપાત્ર છે, ત્યારે ‘વંદે માતરમ્’ ગાતી વખતે ઊભા રહેવા અથવા ચોક્કસ મુદ્રા અપનાવવા અંગે કોઈ સ્પષ્ટ કાનૂની જવાબદારીઓ અથવા લેખિત માર્ગદર્શિકા નથી.



ગૃહમંત્રાલયની બેઠકમાં રાષ્ટ્રીય ગીત અને એના ગાન પ્રત્યેના આદરને લગતા અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. શું ‘વંદે માતરમ્’ ગાવાના સમય, સ્થળ અને રીત અંગે સ્પષ્ટ નિયમો સ્થાપિત કરવા જોઈએ? શું ‘વંદે માતરમ્’ ગાતી વખતે ઊભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ? શું રાષ્ટ્રગીતનો અનાદર કરનારાઓ સામે દંડ અથવા કાનૂની કાર્યવાહીની જોગવાઈ હોવી જોઈએ? આ મુદ્દાઓ પર હજી સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ સરકાર શક્યતાઓ શોધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2026 07:24 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK