Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર, એક સૈનિક શહીદ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર, એક સૈનિક શહીદ

Published : 23 May, 2025 11:45 AM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેનાના વાઇટ નાઇટ કૉર્ઝના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરને કારણે વધારાનાં દળો તહેનાત કરવામાં આવ્યાં છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

ગઈ કાલે બિહારના ભાગલપુર જિલ્લાના ભીથા ગામમાં શહીદ હવાલદાર સંતોષ કુમારની અંતિમક્રિયા વખતે તેમના પરિવારજનોને રાષ્ટ્રધ્વજ આપતા આર્મીના ઑફિસર.

ગઈ કાલે બિહારના ભાગલપુર જિલ્લાના ભીથા ગામમાં શહીદ હવાલદાર સંતોષ કુમારની અંતિમક્રિયા વખતે તેમના પરિવારજનોને રાષ્ટ્રધ્વજ આપતા આર્મીના ઑફિસર.


જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ગુરુવારે સવારે શરૂ થયેલા એન્કાઉન્ટર હેઠળ સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જોકે આ એન્કાઉન્ટરમાં એક સૈનિક શહીદ થયો હતો. આ એન્કાઉન્ટર કિશ્તવાડના સિંઘપોરા ચટરૂ વિસ્તારમાં થયું હતું, જ્યાં સુરક્ષા દળોએ આતંકવાદીઓના એક જૂથને ઘેરી લીધું હતું.


ગુરુવારે સવારે લગભગ ૭ વાગ્યે સેનાની પૅરા સ્પેશ્યલ ફોર્સ, 11RR, સાતમી આસામ રાઇફલ્સ અને સ્પેશ્યલ ઑપરેશન્સ ગ્રુપ (SOG) કિશ્તવાડની સંયુક્ત ટીમે સિંઘપોરાના જંગલોમાં સર્ચ-ઑપરેશન શરૂ કર્યું હતું. આ દરમ્યાન આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ થતાં જ એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાના વાઇટ નાઇટ કૉર્ઝના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરને કારણે વધારાનાં દળો તહેનાત કરવામાં આવ્યાં છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2025 11:45 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK