CJP ની ટીમ બુધવારથી અભિજીત દિપકના નિવાસસ્થાને બેઠકો કરી રહી છે. પ્રદર્શનકારી મનીષ બ્રહ્મભટ્ટે આરોપ લગાવ્યો કે તેમને ટીમને મળવાની તક આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું, "જ્યારે CJP આંદોલન શરૂ થયું, ત્યારે તે કોઈ એક ચહેરા સાથે જોડાયેલું નહોતું.
અભિજીત દિપકેના ઘરની બહાર વિરોધ પ્રદર્શન
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ગુરુવારે `કૉકરોચ જનતા પાર્ટી` (CJP) ના સ્થાપક અભિજિત દિપકેના નિવાસસ્થાન બહાર બે યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું. બન્નેએ ગયા મહિને દિલ્હીમાં યોજાયેલા વિદ્યાર્થી આંદોલનમાં ભાગ લેનારા તરીકે પોતાને ઓળખાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે તેમને CJP ની મુખ્ય ટીમને મળવાની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા યુવાનોએ જણાવ્યું હતું કે CJP એક યુવા આંદોલન છે અને તેને લોકશાહી રીતે ચલાવવું જોઈએ; તેમણે દલીલ કરી હતી કે આંદોલનમાં સામેલ લોકોને તેમના સૂચનો રજૂ કરવા અને ભવિષ્યની રણનીતિઓની ચર્ચા કરવા માટે બેઠકમાં આમંત્રણ આપવું જોઈએ.
એક યુવક અનિશ્ચિત ભૂખ હડતાળ શરૂ કરી
ADVERTISEMENT
વિરોધ કરી રહેલા બે યુવાનોની ઓળખ મનીષ બ્રહ્મભટ્ટ અને રાહુલ પંડ્યા તરીકે કરવામાં આવી છે, બન્ને અમદાવાદના રહેવાસી છે. તેઓ ગુરુવારે બપોરે 1 વાગ્યાની આસપાસ છત્રપતિ સંભાજીનગરના વાલુજ MIDC વિસ્તારમાં અભિજિત દિપકેના ઘરે પહોંચ્યા અને રસ્તા પર બેસી ગયા. મનીષ બ્રહ્મભટ્ટે દિપકેના નિવાસસ્થાન બહાર અનિશ્ચિત ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી. તેણે જાહેર કર્યું, "અમને બીજા કેજરીવાલ નથી જોઈતા. હું અહીં અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેઠો છું." તેણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કર્યો હતો. કેજરીવાલે 2011 માં સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેના નેતૃત્વ હેઠળના `ભારત અગેઇન્સ્ટ કરપ્શન` આંદોલન બાદ રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મેળવી હતી.
CJP કોર ટીમની બેઠક પર પ્રશ્નો
Chhatrapati Sambhajinagar, Maharashtra: Two CJP workers staged a protest outside the residence of CJP founder Abhijeet Dipke, alleging favouritism and nepotism in the formation of the party`s core committee and demanding representation for all coordinators associated with the… pic.twitter.com/9moLvTtEBP
— IANS (@ians_india) August 6, 2026
CJP ની ટીમ બુધવારથી અભિજીત દિપકના નિવાસસ્થાને બેઠકો કરી રહી છે. પ્રદર્શનકારી મનીષ બ્રહ્મભટ્ટે આરોપ લગાવ્યો કે તેમને ટીમને મળવાની તક આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું, "જ્યારે CJP આંદોલન શરૂ થયું, ત્યારે તે કોઈ એક ચહેરા સાથે જોડાયેલું નહોતું. અન્ય ઘણા સ્વયંસેવકો સાથે, મેં નવી દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલનમાં યોગદાન આપ્યું. હું CJP ટીમને મળવા અહીં આવ્યો હતો, પરંતુ કોઈ મને મળ્યું નહીં. મને બેઠકમાં આમંત્રણ પણ આપવામાં આવ્યું ન હતું." બ્રહ્મભટ્ટે આરોપ લગાવ્યો, "પિતરાઈ ભાઈઓ અને મિત્રો સાથે બેસીને નિર્ણય લઈ શકતા નથી કે આંદોલનને કેવી રીતે આગળ વધારવું, કારણ કે આ આંદોલન આખા દેશનું છે." તેણે કહ્યું કે સંગઠનમાં લોકશાહી હોવી જોઈએ અને આંદોલનમાં કામ કરનારાઓને તેમના સૂચનો શૅર કરવા માટે આમંત્રિત કરવા જોઈએ.
NEET પેપર લીક સામે વિરોધ
ગયા મહિને, CJP એ NEET પેપર લીક અને અન્ય પરીક્ષા ગેરરીતિઓ સામે નવી દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ વિરોધ બાદ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. હવે, CJP ની ટીમની બેઠક અને તેની બહાર યોજાયેલા પ્રદર્શન વચ્ચે, સંગઠનની અંદર લોકશાહી પ્રક્રિયાઓ અને આંદોલનની ભાવિ દિશા અંગે પ્રશ્નો ઉભા થયા છે.
