Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી નવા શિક્ષણ મંત્રી બન્યા, જાણો તેમના વિશે આ બાબતો

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી નવા શિક્ષણ મંત્રી બન્યા, જાણો તેમના વિશે આ બાબતો

Published : 25 July, 2026 10:12 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રહલાદ જોશી પાસે બૅચલર ઓફ આર્ટ્સ (બીએ)ની ડિગ્રી છે. તેમણે હુબલીમાં કે. એસ. આર્ટ્સ કૉલેજ અને કર્ણાટકના ધારવાડમાં કર્ણાટક યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું છે. તેમની રાજકીય કારકિર્દીનો મોટાભાગનો સમય કર્ણાટકમાં વિત્યો છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી


ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયમાં શિક્ષણ મંત્રીનું પદ સોંપવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે આપેલ રાજીનામા બાદ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રહલાદ જોશી હાલમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી અને રીયુનવલ ઉર્જા મંત્રી તરીકે સેવા આપે છે. શિક્ષણ મંત્રાલયના પોર્ટફોલિયોના ઉમેરા સાથે, તેઓ હવે શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ અને અનેક મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ સંબંધિત જવાબદારીઓનું પણ નિરીક્ષણ કરશે.

શિક્ષણ અને પ્રારંભિક પૃષ્ઠભૂમિ



પ્રહલાદ જોશી પાસે બૅચલર ઓફ આર્ટ્સ (બીએ)ની ડિગ્રી છે. તેમણે હુબલીમાં કે. એસ. આર્ટ્સ કૉલેજ અને કર્ણાટકના ધારવાડમાં કર્ણાટક યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું છે. તેમની રાજકીય કારકિર્દીનો મોટાભાગનો સમય કર્ણાટકમાં વિત્યો છે. તેઓ 2004 થી સતત લોકસભામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.


પ્રહલાદ જોશીની રાજકીય યાત્રા વિશે

પ્રહલાદ જોશી 2004 માં પહેલી વાર 14મી લોકસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ, તેમણે 2009, 2014, 2019 અને 2024 માં લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પ્રવેશ કર્યો. તેઓ સતત પાંચમા કાર્યકાળ માટે લોકસભા સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. સંસદીય રાજકારણ ઉપરાંત, તેમણે ભાજપ સંગઠનમાં ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. 1998 થી 2003 સુધી, તેમણે ભાજપના ધારવાડ જિલ્લા એકમના મહાસચિવ તરીકે સેવા આપી હતી. બાદમાં તેમને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2006 થી 2013 સુધી, તેમણે ભાજપના કર્ણાટક એકમના મહાસચિવ તરીકે કામ કર્યું. 2013 માં, તેમને કર્ણાટકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


કેન્દ્ર સરકાર અને સંસદમાં અનુભવ

પ્રહલાદ જોશી મે 2019 માં પહેલી વાર કેન્દ્રીય મંત્રીમંડળમાં જોડાયા. તે સમયે, તેમને સંસદીય બાબતો, કોલસો અને ખાણ જેવા વિભાગો સોંપવામાં આવ્યા હતા. 2024 ની લોકસભા ચૂંટણી પછી, તેમને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય તેમજ નવી અને રીયુનવલ ઉર્જા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. સંસદમાં તેમના લાંબા કાર્યકાળ દરમિયાન, તેમણે ઘણી મહત્ત્વપૂર્ણ સંસદીય સમિતિઓના સભ્ય તરીકે સેવા આપી છે. આમાં પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ પરની સ્થાયી સમિતિઓ, રેલવે, પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ અને રસાયણો અને ખાતરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે લોકસભાની સામાન્ય હેતુ સમિતિ, નીતિશાસ્ત્ર સમિતિ, વિશેષાધિકાર સમિતિ અને વ્યવસાય સલાહકાર સમિતિમાં જવાબદારીઓ નિભાવી છે. 16મી લોકસભા દરમિયાન, પ્રહલાદ જોશીએ પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. હવે, શિક્ષણ મંત્રાલયના વધારાના કાર્યભારની સોંપણી સાથે, પ્રહલાદ જોશીએ કેન્દ્ર સરકારમાં વધુ એક મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી છે.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 10:12 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK