Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા છતાં આંદોલન શરૂ જ રહેશે? CJPની આ બે માગણીઓ હજી બાકી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા છતાં આંદોલન શરૂ જ રહેશે? CJPની આ બે માગણીઓ હજી બાકી

Published : 25 July, 2026 04:41 PM | Modified : 25 July, 2026 04:54 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, CJP એ જાહેરાત કરી છે કે તેઓ આંદોલન બંધ કરવાને બદલે નવી માગણીઓ સાથે તેને ચાલુ જ રાખશે. હવે એ જોવાનું મહત્ત્વપૂર્ણ રહેશે કે કેન્દ્ર સરકાર અભિજીત દિપકે દ્વારા ઉઠાવવામાં આવેલી માગણીઓ અંગે શું નિર્ણય લે છે.

અભિજીત દીપકે

અભિજીત દીપકે


કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામા આપ્યા બાદ દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા `કૉકરોચ જનતા પાર્ટી` (CJP) ના વિરોધ પ્રદર્શનને મોટી જીત મળી છે. સીજેપી સતત પ્રધાનના રાજીનામાની માગ કરી રહી હતી, તેમને NEET પેપર લીક કૌભાંડ માટે જવાબદાર ઠેરવી રહી હતી. પાર્ટીએ કહ્યું હતું કે તે કોઈપણ સંજોગોમાં પોતાની માગથી પાછળ નહીં હટે. જોકે શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે જંતર મંતર પરનો વિરોધ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સમાપ્ત થશે, જોકે હવે સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ સ્પષ્ટતા કરી હતી કે આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સરકારે બાકીની માગણીઓ પર ધ્યાન આપવું જોઈએ.

અભિજીત દીપકે શું કહ્યું?



ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી, અભિજીત દીપકે જંતર મંતર પર ભેગા થયેલા હજારો વિદ્યાર્થી અને પ્રદર્શનકારીઓને સંબોધિત કર્યા. સંબોધન દરમિયાન, તેણે આંદોલન માટે ભાવિ રણનીતિની રૂપરેખા આપી. તેણે કહ્યું, "પહેલાં એવું કહેવામાં આવતું હતું કે મોદી સરકારમાં રાજીનામું આપવામાં આવતું નથી. પરંતુ સરકારે યુવાનોની શક્તિ સામે ઝૂકવું પડ્યું. અમે આ સાબિત કરી દીધું છે." તેમણે આને CJPના આંદોલનની સફળતા ગણાવી.


વિરોધ ચાલુ રહેશે

અભિજીત દીપકેએ કહ્યું, "હવે એવું માની શકાય કે રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાથી વિરોધ સમાપ્ત થઈ ગયો છે. પરંતુ અમે કૉકરોજ છીએ. અમે આટલી સરળતાથી યુદ્ધભૂમિ છોડવાના નથી. અમારી પાસે હજી પણ બે વધુ માગણીઓ છે." તેણે માગ કરી હતી કે NEET પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને રૂ. એક કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે.


પોલીસ કાર્યવાહી અંગેની માગણીઓ

દીપકેએ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેણે કહ્યું, "વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરનારા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. DCP સંદીપ લાંબા, ACP અજય શર્મા અને સચિન શર્માએ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પર યુવાનો પર લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો. તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ." તેમણે 20 જુલાઈ પછી દાખલ કરાયેલા તમામ કેસ પાછા ખેંચવાની અને વિદ્યાર્થીઓ સામે લેવામાં આવેલા કોઈપણ શિસ્તભંગના પગલાં રદ કરવાની પણ માગ કરી.

બધાની નજર સરકારના નિર્ણય પર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, CJP એ જાહેરાત કરી છે કે તેઓ આંદોલન બંધ કરવાને બદલે નવી માગણીઓ સાથે તેને ચાલુ જ રાખશે. હવે એ જોવાનું મહત્ત્વપૂર્ણ રહેશે કે કેન્દ્ર સરકાર અભિજીત દિપકે દ્વારા ઉઠાવવામાં આવેલી માગણીઓ અંગે શું નિર્ણય લે છે કે દિલ્હી અને દેશભરમાં આંદોલન વધુ હિંસક બનશે? તે જોવાનું રહેશે. જોકે આ અંગે હજી સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 04:54 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK