ઉત્તર પ્રદેશના અમરોહામાં એક જાહેર રેલીને સંબોધિત કરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ એપ્રિલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની દ્વારકા મુલાકાત અંગેની ટિપ્પણી બદલ કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, `કોંગ્રેસના રાજકુમાર કહે છે કે દ્વારકા (અંડરવોટર) માં પૂજા કરવા જેવું કંઈ નથી... તેઓ માત્ર વોટ બેંક માટે અમારી હજારો વર્ષોની માન્યતાને ફગાવી રહ્યા છે.`