Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૬ મહિના સુધી પિતાએ દીકરીની લાશ ઘરમાં સંઘરી રાખી અને પછી વાસ સહન ન થતાં પોતે હરિદ્વાર ફરાર થઈ ગયો

૬ મહિના સુધી પિતાએ દીકરીની લાશ ઘરમાં સંઘરી રાખી અને પછી વાસ સહન ન થતાં પોતે હરિદ્વાર ફરાર થઈ ગયો

Published : 13 April, 2026 01:09 PM | IST | Meerut
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિતા-પુત્રીએ છેલ્લાં બે વર્ષથી ઘરમાં ઝાડું પણ માર્યું ન હોવાથી ઑલરેડી એ ગંદકીથી ખદબદતું હતું

અંધવિશ્વાસમાં દીકરીનો જીવ જતો રહ્યો

અજબગજબ

અંધવિશ્વાસમાં દીકરીનો જીવ જતો રહ્યો


ઉત્તર પ્રદેશના મેરઠમાં દીકરીની લાશ સાથે તેના પિતા ૬ મહિના સુધી રહ્યા હતા. જ્યારે ઘરમાંથી અત્યંત માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતાં વાત બહાર આવી ગઈ હતી. મેરઠના સદર બજારમાં તેલી મોહલ્લામાં તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસથી પ્રભાવિત થઈ ગયેલાં પિતા-પુત્રીનો કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો હતો. આ જ અંધવિશ્વાસમાં દીકરીનો જીવ જતો રહ્યો છતાં પિતાએ તેના અંતિમ સંસ્કાર ન કર્યા. તેણે દીકરીનું શબ ઘરમાં જ રાખ્યું. એ કોહવાઈ ગયું હતું. પિતા-પુત્રીએ છેલ્લાં બે વર્ષથી ઘરમાં ઝાડું પણ માર્યું ન હોવાથી ઑલરેડી એ ગંદકીથી ખદબદતું હતું, એમાં વળી શબ કોહવાની વાસે પરિસ્થિતિ ઑર ખરાબ થઈ ગઈ. જ્યારે વાસને કારણે પાડોશીઓએ પોલીસને બોલાવીને ઘર ખોલાવ્યું ત્યારે ઘરની અંદર ભૂતબંગલા જેવા હાલ હતા. પિતાએ કહ્યું હતું કે ૨૦૨૫ના ઑક્ટોબર મહિના પછી દીકરી પ્રિયંકા ઘરની બહાર નીકળી નહોતી. પિતા શબ પર પરફ્યુમ છાંટી-છાંટીને વાસ છુપાવવાની કોશિશ કરતો રહ્યો. આખરે પિતા થોડા દિવસ પહેલાં ઘર બંધ કરીને હરિદ્વાર જતો રહ્યો ત્યારે વાસ બેકાબૂ થઈ ગઈ અને પોલીસમાં ફરિયાદ થતાં ઘટના બહાર આવી. 


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 01:09 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK