Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૬૦મા વર્ષે મંદિરમાં મળ્યાં, દુખદર્દની વાતો કરતાં-કરતાં પ્રેમ થઈ ગયો અને પરણી ગયાં

૬૦મા વર્ષે મંદિરમાં મળ્યાં, દુખદર્દની વાતો કરતાં-કરતાં પ્રેમ થઈ ગયો અને પરણી ગયાં

Published : 19 June, 2026 11:44 AM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંતાનો અને દીકરાવહુ દ્વારા પારાવાર પ્રતાડના સહેતાં આ દાદા-દાદીના જીવનમાં પોતપોતાની દુખભરી કહાણીઓ હતી જેની વાતો કરતાં-કરતાં બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો

૬૦ વર્ષના ઘનશ્યામ મીણાએ રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતાં ગૌરાબાઈ સાથે લગ્ન થયાં છે

અજબ ગજબ

૬૦ વર્ષના ઘનશ્યામ મીણાએ રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતાં ગૌરાબાઈ સાથે લગ્ન થયાં છે


મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના ખેડા ગામમાં રહેતા ૬૦ વર્ષના ઘનશ્યામ મીણાએ રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતાં ગૌરાબાઈ સાથે લગ્ન થયાં છે. ઘનશ્યામભાઈ રાજસ્થાનના રામગઢ માતા મંદિરમાં દર્શન કરવા ગયેલા, જ્યાં તેમને ગૌરાબાઈ મળ્યાં. ઘનશ્યામભાઈનાં પત્ની અને ગૌરાબાઈના પતિ થોડા વર્ષો પહેલાં જ ગુજરી ગયાં હોવાથી બન્ને એકલાં હતાં. સંતાનો અને દીકરાવહુ દ્વારા પારાવાર પ્રતાડના સહેતાં આ દાદા-દાદીના જીવનમાં પોતપોતાની દુખભરી કહાણીઓ હતી જેની વાતો કરતાં-કરતાં બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો. પ્રેમ થયા પછી બન્નેએ સમાજ અને બીજા લોકો શું કહેશે એની ચિંતા વિના જ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. મોટી ઉંમરે પ્રેમલગ્નનો આ કદાચ અનોખો કિસ્સો હશે. 


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 11:44 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK