ઓડિશાના ભુવનેશ્વર પાસેના જટની ગામના પ્રસિદ્ધ મિનિએચર કલાકાર એલ. ઈશ્વર રાવે રથયાત્રાના અવસરે ખૂબ જ આકર્ષક અને અદ્દલ રિયલની જ મિની રેપ્લિકા હોય એવા મિનિએચર રથ બનાવ્યા છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રા એમ ત્રણેય માટે અલગ-અલગ રથ બનાવ્યા છે.
ઓડિશાના કલાકારે પાંચ ઇંચના રથ બનાવ્યા, એમાં ૧ ઇંચની મૂર્તિઓ પણ બિરાજમાન છે
ઓડિશાના ભુવનેશ્વર પાસેના જટની ગામના પ્રસિદ્ધ મિનિએચર કલાકાર એલ. ઈશ્વર રાવે રથયાત્રાના અવસરે ખૂબ જ આકર્ષક અને અદ્દલ રિયલની જ મિની રેપ્લિકા હોય એવા મિનિએચર રથ બનાવ્યા છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રા એમ ત્રણેય માટે અલગ-અલગ રથ બનાવ્યા છે જે માત્ર પાંચ ઇંચના છે. ઇકો-ફ્રેન્ડ્લી રથ બનાવવા માટે સોપારીનાં પાન અને લીમડાંનાં લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કલાકાર એલ. ઈશ્વર રાવે ૭ દિવસમાં આ રથ તૈયાર કર્યા હતા. એ રથની અંદર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની ૧ ઇંચની મૂર્તિઓ પણ સ્થાપિત કરી છે જે લીમડાની બની છે અને એનો શણગાર પણ કરવામાં આવ્યો છે. આ રથ અને મૂર્તિઓમાં એક પણ કૃત્રિમ ચીજનો ઉપયોગ નથી થયો. બધું જ કુદરતી રંગોથી તૈયાર કરવામાં આવ્યું છે.
