Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રેમાનંદ મહારાજ માટે ગંગાજળ લઈને ૩ ભક્તો હરિદ્વારથી વૃંદાવન ચાલીને નીકળ્યા, ૪૧ દિવસમાં ૪૦૦ કિલોમીટર ચાલશે

પ્રેમાનંદ મહારાજ માટે ગંગાજળ લઈને ૩ ભક્તો હરિદ્વારથી વૃંદાવન ચાલીને નીકળ્યા, ૪૧ દિવસમાં ૪૦૦ કિલોમીટર ચાલશે

Published : 17 July, 2026 02:33 PM | IST | Bulandshahr
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુલંદશહરના ત્રણ યુવાનો હરિદ્વારથી ૪૦૦ કિલોમીટર પદયાત્રા કરીને કળશમાં જળ લઈને વૃંદાવન જઈ રહ્યા છે. તેમનો ઉદ્દેશ છે ગંગાજળથી વૃંદાવનના પ્રેમાનંદ મહારાજનો જળાભિષેક કરવો.આ યુવાનોએ સાથે ૬ કળશમાં ગંગાજળ ભર્યું છે. તેઓ ૪૧ દિવસમાં ૪૦૦ કિલોમીટર ચાલશે.

બુલંદશહરના ત્રણ યુવાનો

બુલંદશહરના ત્રણ યુવાનો


બુલંદશહરના ત્રણ યુવાનો હરિદ્વારથી ૪૦૦ કિલોમીટર પદયાત્રા કરીને કળશમાં જળ લઈને વૃંદાવન જઈ રહ્યા છે. તેમનો ઉદ્દેશ છે ગંગાજળથી વૃંદાવનના પ્રેમાનંદ મહારાજનો જળાભિષેક કરવો. આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડનારા આ યુવાનોએ સાથે ૬ કળશમાં ગંગાજળ ભર્યું છે. તેઓ ૪૧ દિવસમાં ૪૦૦ કિલોમીટર ચાલશે. પહેલી જુલાઈએ તેમણે આ યાત્રા શરૂ કરી હતી અને ગઈ કાલે તેઓ તિગરી ગામ પહોંચ્યા હતા. તેઓ જે-જે ગામ પાસેથી પસાર થાય છે ત્યાં-ત્યાં આ ભક્તોનું સ્વાગત કરવામાં આવે છે. રોજ ૧૦ કિલોમીટર ચાલતું આ ગ્રુપ ૮ ઑગસ્ટે વૃંદાવન પહોંચશે. 


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 02:33 PM IST | Bulandshahr | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK