ICC Men’s T20 World Cup 2026 Semi Final: જો વરસાદને કારણે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ રદ થાય છે, તો ભારત અને ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગશે; આખી સ્થિતિ બદલાઈ જશે; જાણી લો શું છે કહે છે આઇસીસીના નિયમો… કોણ પહોંચશે સેમી-ફાઇનલમાં? કોની વધશે મુશ્કેલી?
T20 વર્લ્ડ કપ 2026 મેચ દરમિયાન વિકેટની ઉજવણી કરતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફાઇલ તસવીર
ટી20 વર્લ્ડ કપ ૨૦૨૬ (ICC Men’s T20 World Cup 2026)ની સેમિફાઇનલ ૪ માર્ચથી શરૂ થશે. પહેલી સેમિફાઇનલ ૪ માર્ચે કોલકાતા (Kolkata)માં દક્ષિણ આફ્રિકા (South Africa) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે રમાશે. બીજી સેમિફાઇનલ ૫ માર્ચે મુંબઈ (Mumbai)માં ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચે રમાશે. ત્યારે ફેન્સના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો સેમિફાઇનલ મેચોમાં વરસાદ રમત બગાડે તો શું થશે? જો મેચ રદ થાય તો શું કોઈ ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે? ચાલો નિયમો સરળ શબ્દોમાં સમજીએ…
૪ અને ૫ માર્ચે રમાશે સેમિફાઇનલ
ADVERTISEMENT
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ ૨૦૨૬ (ICC Men’s T20 World Cup 2026 Semi Final)ની બન્ને સેમિફાઇનલ મેચ અનુક્રમે ચાર અને પાંચ માર્ચે રમાશે. પહેલી સેમિફાઇનલ ૪ માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ (Eden Gardens)માં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ ૫ માર્ચે મુંબઈના વાનખેડે (Wankhede)માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.
જો વરસાદ સેમિફાઇનલમાં વિક્ષેપ પાડે તો શું થશે?
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (International Cricket Council – ICC)એ સેમિફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે નક્કી કર્યો છે. જો વરસાદ સેમિફાઇનલમાં વિક્ષેપ પાડે અને મેચ રમી ન શકાય, તો રિઝર્વ ડે પર મેચ ફરીથી રમાશે.
રિઝર્વ ડેના નિયમો શું કહે છે?
ICCએ નોકઆઉટ મેચો માટે ખાસ વ્યવસ્થા કરી છે. સેમિફાઇનલ માટે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે જો ૪ અને ૫ માર્ચે સતત વરસાદ રમતમાં વિક્ષેપ પાડે છે, તો મેચ બીજા દિવસે રમાશે.
જોકે, જો મેચ શરૂ થાય પણ વચ્ચે વરસાદ પડે, તો પણ મેચ બીજા દિવસે રમી શકાય છે. આનો અર્થ એ છે કે બાકીની ઓવરો રિઝર્વ ડે પર પૂર્ણ થશે. ICCએ નોકઆઉટ મેચોનો નિર્ણય મેદાન પર થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.
૧૦-૧૦ ઓવરની મેચ થવી જરુરી
ICCએ પરિણામ નક્કી કરવા માટે ૧૦-૧૦ ઓવરની મેચ રમવાનો આદેશ આપ્યો છે. જો વરસાદ મેચમાં વિક્ષેપ પાડે છે, તો ICC ના નિયમો મુજબ પરિણામ નક્કી કરવા માટે ૧૦ ઓવરની મેચ રમવી જરૂરી છે. જો સેમિફાઇનલના દિવસે નિર્ધારિત સમયમર્યાદામાં ૧૦ ઓવરની રમત પણ પૂર્ણ ન થાય, તો મેચ રિઝર્વ ડે પર રમાશે.
વધુમાં, જો રિઝર્વ ડે પર ઓછામાં ઓછી ૧૦ ઓવરની રમત પૂર્ણ ન થાય, તો જ મેચ રદ ગણવામાં આવશે.
જો બન્ને દિવસે વરસાદ પડે તો શું થશે?
સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, જો મેચ ડે અને રિઝર્વ ડે એમ બન્ને દિવસે વરસાદ રમતને બગાડે તો શું થશે? જો બન્ને દિવસ હવામાન ખરાબ રહે અને એક પણ બોલ ફેંકી ન શકાય, તો સુપર 8માં જે ટીમે વધુ સારું પ્રદર્શન કર્યું હશે તે ફાઇનલમાં પહોંચશે.
જો ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા અને ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચ રદ થાય છે, તો ભારત અને ન્યુઝીલેન્ડને આંચકો લાગશે, કારણ કે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો તેમના ગ્રુપમાં નંબર ૨ ટીમ બનીને સેમિફાઇનલમાં પહોંચી છે.
સુપર 8માં ઇંગ્લેન્ડે તેની ત્રણેય મેચ જીતી હતી. બીજી તરફ, ભારતે બે મેચ જીતી હતી પરંતુ એક હારી ગયું હતું. આવી સ્થિતિમાં, જો મેચ સંપૂર્ણપણે રદ કરવામાં આવે, તો નિયમો અનુસાર, ઇંગ્લેન્ડને ફાઇનલમાં સ્થાન આપવામાં આવશે.
