Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૦-૧૨ વર્ષ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યા પછી પ્રેશરનું બહાનું ન હોવું જોઈએ

૧૦-૧૨ વર્ષ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યા પછી પ્રેશરનું બહાનું ન હોવું જોઈએ

Published : 30 January, 2026 10:14 AM | IST | Visakhapatnam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજુ સૅમસનની નિષ્ફળતાઓ પર યુઝવેન્દ્ર ચહલની ચર્ચાસ્પદ કમેન્ટ

યુઝવેન્દ્ર ચહલ

યુઝવેન્દ્ર ચહલ


ભારતીય ઓપનર સંજુ સૅમસન ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝની પહેલી ચાર મૅચમાં ૧૦, ૬, ૦ અને ૨૪ રનની ઇનિંગ્સ રમી શક્યો છે. T20 વર્લ્ડ કપ પહેલાં તેની બૅટિંગમાં સતત નિષ્ફળતાઓ ભારત માટે ચિંતાનો વિષય છે. તેના વર્તમાન ફૉર્મ પર ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા અને રાજસ્થાન રૉયલ્સના સંજુના જૂના સાથી-પ્લેયર યુઝવેન્દ્ર ચહલે ચર્ચાસ્પદ કમેન્ટ કરી છે.

યુઝવેન્દ્ર ચહલે કહ્યું હતું કે ‘સંજુ સૅમસન ઘણાં વર્ષોથી રમી રહ્યો છે. તેણે IPLમાં મિડલ-ઑર્ડરમાં શરૂઆત કર્યા પછી ઓપનર બન્યો હતો. ૧૦-૧૨ વર્ષ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યા પછી પ્રેશરનું બહાનું ન હોવું જોઈએ. તેને આ સિરીઝમાં ૪ તક આપવામાં આવી છે. હું એક કે બે મૅચમાં નિષ્ફળતા સ્વીકારી શકું, પરંતુ ત્રણ કે ચાર નહીં. તે જાણે છે કે વિકેટકીપર-બૅટર ઈશાન કિશન જેવો ખેલાડી જે બૅકઅપ પ્લેયર છે તે તેની જગ્યા લઈ શકે છે. સંજુએ પોતાને દોષ આપવો જોઈએ. તેને ચાર તક મળી, પણ તે એનો ફાયદો ઉઠાવી ન શક્યો.’


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2026 10:14 AM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK