શ્રીલંકા સામેની છેલ્લી ત્રણેય T20 મૅચ કેરલાના તિરુવનંતપુરમમાં રમાશે
ટીમ-હોટેલમાં ગઈ કાલે ભારતીય પ્લેયર્સે સૅન્ટા-કૅપ પહેરીને ક્રિસમસ પાર્ટી કરી હતી
કેરલાના તિરુવનંતપુરમમાં આજથી ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરીઝની અંતિમ ૩ મૅચ રમાશે. પાંચ મૅચની સિરીઝમાં વિશાખાપટનમમાં પહેલી બે મૅચ જીતીને ભારતીય ટીમ સિરીઝમાં ૨-૦થી આગળ છે. આજે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ૩-૦થી આ સિરીઝ પોતાને નામે કરવાનો ટાર્ગેટ રાખશે.
તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વિમેન્સ ક્રિકેટ ટીમ કોઈ પણ ફૉર્મેટમાં એક પણ મૅચ રમી નથી. તિરુવનંતપુરમના સ્ટેડિયમની આ પહેલી વિમેન્સ ઇન્ટરનૅશનલ મૅચ બનશે. ૨૦૨૩ સુધી અહીં ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ ૨ વન-ડે મૅચ અને ૪ T20 મૅચ રમી છે.
ADVERTISEMENT
ત્રીજી મૅચ પહેલાં તિરુવનંતપુરમની હોટેલમાં ટીમ ઇન્ડિયાએ ક્રિસમસ પાર્ટી કરી હતી. ભારતીય પ્લેયર્સ સૅન્ટા-કૅપ પહેરી, કેક-કટિંગ કરી અને ફોટોશૂટ કરીને આ તહેવારનો આનંદ માણતી જોવા મળી હતી.


