Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યુદ્ધવિરામ બાદ IPL 2025 પાછું આવશે મેદાને, શું છે ટુર્નામેન્ટ વિશે અપડેટ?

યુદ્ધવિરામ બાદ IPL 2025 પાછું આવશે મેદાને, શું છે ટુર્નામેન્ટ વિશે અપડેટ?

Published : 11 May, 2025 04:43 PM | Modified : 12 May, 2025 06:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2025: મુલતવી રાખ્યા બાદ બધી ટીમોના વિદેશી ખેલાડીઓ શનિવારે પોતપોતાના દેશોમાં પરત ફર્યા હતા. હાલમાં, ટુર્નામેન્ટમાં 12 લીગ મેચ અને ચાર પ્લેઓફ મેચ બાકી છે. BCCI ટૂંક સમયમાં નવા શેડ્યૂલની જાહેરાત કરશે, જેના સંદર્ભમાં હવે એક મોટું અપડેટ આવ્યું છે.

આઈપીએલ ટ્રોફી (ફાઇલ તસવીર)

આઈપીએલ ટ્રોફી (ફાઇલ તસવીર)


IPL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ (Board of Control for Cricket in India) ફરીથી IPL 2025 શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષને કારણે IPL એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. શુક્રવારે (9 મે) IPL મુલતવી રાખ્યા બાદ બધી ટીમોના મોટાભાગના વિદેશી ખેલાડીઓ શનિવારે પોતપોતાના દેશોમાં પરત ફર્યા હતા. હાલમાં, ટુર્નામેન્ટમાં 12 લીગ મેચ અને ચાર પ્લેઓફ મેચ બાકી છે. BCCI ટૂંક સમયમાં નવા શેડ્યૂલની જાહેરાત કરશે, જેના સંદર્ભમાં હવે એક મોટું અપડેટ આવ્યું છે.


અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ બધી ટીમોને મંગળવાર (૧૩ મે) સુધીમાં ખેલાડીઓ ભેગા કરવાનો આદેશ આપ્યો છે. ૧૮મી સીઝન ૨૫ મેના રોજ સમાપ્ત થવાની હતી, જેમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. બૉર્ડ નિર્ધારિત સમય મુજબ સીઝનનો અંત લાવવા માટે ડબલ હેડર (એક દિવસમાં બે મેચ)નું આયોજન કરી શકે છે. (IPL 2025) તમને જણાવી દઈએ કે ગુરુવારે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચેની મેચ બ્લેકઆઉટ (Blackout) બાદ રદ કરવામાં આવી હતી.



IPL 2025: બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "બધી ફ્રેન્ચાઇઝીઓને મંગળવાર સુધીમાં તેમની ટીમોને તેમના સંબંધિત સ્થળોએ રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે. પંજાબ પાસે તટસ્થ સ્થળ હશે, તેથી તેનું સ્થળ હજી સુધી પુષ્ટિ થયેલ નથી. બૉર્ડ વધુ ડબલ હેડર રાખવાની યોજના બનાવી રહ્યું છે જેથી તેઓ તેના નિર્ધારિત દિવસે આઈપીએલ પૂર્ણ કરી શકે." બીસીસીઆઈ રવિવારે ૧૧ મેના આઈપીએલ ફરી શરૂ કરવાના વિકલ્પ પર ચર્ચા કરી શકે છે.


"યુદ્ધ બંધ થઈ ગયું છે. નવી પરિસ્થિતિમાં, બીસીસીઆઈના અધિકારીઓ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ આવતીકાલે નિર્ણય લેશે. ચાલો જોઈએ કે ટુર્નામેન્ટ પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ સમયપત્રક કયું હોઈ શકે છે." બીસીસીઆઈના ઉપપ્રમુખ શુક્લાએ શનિવારે પીટીઆઈને જણાવ્યું હતું. એવી અટકળો હતી કે લીગ ચેન્નાઈ, બેંગલુરુ અથવા હૈદરાબાદ જેવા દક્ષિણ ભારતીય શહેરમાં પૂર્ણ થઈ શકે છે, પરંતુ શુક્લાએ કહ્યું કે જો લશ્કરી ગતિરોધ ચાલુ રહે તો જ તે થયું હોત. "જો યુદ્ધ ચાલુ હોત, તો તે એક વિકલ્પ હતો. ઘણા વિકલ્પો પર ચર્ચા થઈ છે. યુદ્ધવિરામની જાહેરાત હમણાં જ કરવામાં આવી છે. અમને થોડો સમય આપો. તે પછી જ નિર્ણય લેવામાં આવશે." તેમણે કહ્યું.

ગયા ગુરુવારે ધરમશાલાના નજીકનાં શહેરો પઠાણકોટ (ધરમશાલાથી ૮૫ કિલોમીટર) અને જમ્મુ (લગભગ ૨૦૦ કિલોમીટર) પર પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલા બાદ પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સની મૅચ અધવચ્ચે રોકવી પડી હતી. ફ્લડલાઇટ્સ ઝાંખી કરી દેવામાં આવી હતી અને થોડા સમય પછી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. બ્લૅકઆઉટ પ્રોટોકૉલ લાગુ કરીને તમામ લોકોને સ્ટેડિયમની બહાર પણ કાઢવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK