Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આઇપીએલ 19 સપ્ટેમ્બરે શરૂ થશે, દશેરાએ ફાઇનલ રમાશે

આઇપીએલ 19 સપ્ટેમ્બરે શરૂ થશે, દશેરાએ ફાઇનલ રમાશે

08 June, 2021 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેટ બોર્ડે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ લાગે છે કે આખરે આઇપીએલની ૧૪મી સીઝનની બાકીની ૩૧ મૅચો માટેનું શેડ્યુલ ફાઇનલ કરી લીધું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય ક્રિકેટ બોર્ડે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ લાગે છે કે આખરે આઇપીએલની ૧૪મી સીઝનની બાકીની ૩૧ મૅચો માટેનું શેડ્યુલ ફાઇનલ કરી લીધું છે. અહેવાલ પ્રમાણે ૧૪મી સીઝન ફરી ૧૯ સપ્ટેમ્બરે શરૂ થશે અને ૧૫ ઑક્ટોબરે દશેરાના દિવસે ફાઇનલ રમાશે.  

સમાચાર-એજન્સી એએનઆઇને ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને ક્રિકેટ બોર્ડ વચ્ચેની મીટિંગ સફળ રહી હતી અને અમને યુએઈમાં ફરી આઇપીએલના આયોજન માટે બધી મંજૂરી મળી ગઈ છે. આ અધૂરી સીઝન ૧૯ સપ્ટેમ્બરે શરૂ થશે અને ફાઇનલ ૧૫ ઑક્ટોબરે રમાશે. ક્રિકેટ બોર્ડ આ બાકીની મૅચો માટે ૨૫ દિવસનો વિન્ડો શોધી રહ્યું હતું.’



વિદેશી ખેલાડીઓ વિશે અધિકારીએ કહ્યું હતું કે ‘વાતચીત શરૂ થઈ ગઈ છે અને અમે આશા રાખી રહ્યા છીએ કે મોટા ભાગના વિદેશી ખેલાડીઓ રમવા આવશે. જો અમુક નહીં આવી શકે એમ હોય તો શું કરવું એ વિશે પછી વિચારીશું, પણ અત્યારે તો બધું સમુંસૂતરું પાર પડશે અને ૧૪મી સીઝન પણ ધૂમધડાકાભેર સમાપ્ત થશે.’ 


જોકે ફ્રૅન્ચાઇઝીઓને વિશ્વાસ છે કે ક્રિકેટ બોર્ડ બાકીની મૅચ માટે વિદેશી ખેલાડીઓને ઉપલબ્ધ કરાવી જ આપશે. 


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2021 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK