Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝારખંડમાં પ્લૉટનો ખોટો ઉપયોગ કરવા બદલ મહેન્દ્ર સિંહ ધોનીને મળી સરકારી નોટિસ

ઝારખંડમાં પ્લૉટનો ખોટો ઉપયોગ કરવા બદલ મહેન્દ્ર સિંહ ધોનીને મળી સરકારી નોટિસ

Published : 01 March, 2026 11:15 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૦૦૨ ચોરસ ફુટનો આ પ્લૉટ ફક્ત રહેણાક હેતુઓ માટે ફાળવવામાં આવ્યો હતો. વેપારી પ્રવૃત્તિ સામે આવ્યા પછી હવે તપાસ શરૂ કરવામાં આવી છે. નોટિસનો જવાબ આપવામાં ધોની નિષ્ફળ જશે તો પ્લૉટની ફાળવણી રદ થઈ શકે છે.

IPL 2026 માટે ચેન્નઈ સુપર કિંગ્સના પ્રૅક્ટિસ-કૅમ્પમાં જોડાતાં પહેલાં ધોનીએ રાંચીના દેવરી મંદિરમાં દર્શન કર્યાં હતાં.

IPL 2026 માટે ચેન્નઈ સુપર કિંગ્સના પ્રૅક્ટિસ-કૅમ્પમાં જોડાતાં પહેલાં ધોનીએ રાંચીના દેવરી મંદિરમાં દર્શન કર્યાં હતાં.


ઝારખંડ રાજ્ય આવાસ બોર્ડ દ્વારા ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારવામાં આવી છે. તેના પર રાંચીના હરમૂમાં શૌર્ય આવાસ ખાતે રહેણાક પ્લૉટનો ઉપયોગ પૅથોલૉજી લેબ સહિતના વેપારી હેતુઓ માટે કરવાનો આરોપ છે. ધોનીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે અંતિમ તક આપવામાં આવી છે. ધોનીને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ૨૦૦૬માં અર્જુન મુંડા સરકાર દરમ્યાન આ પ્લૉટ મફતમાં ફાળવવામાં આવ્યો હતો. ૫૦૦૨ ચોરસ ફુટનો આ પ્લૉટ ફક્ત રહેણાક હેતુઓ માટે ફાળવવામાં આવ્યો હતો. વેપારી પ્રવૃત્તિ સામે આવ્યા પછી હવે તપાસ શરૂ કરવામાં આવી છે. નોટિસનો જવાબ આપવામાં ધોની નિષ્ફળ જશે તો પ્લૉટની ફાળવણી રદ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 11:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK