43 વર્ષીય ખેલાડી એમએસ ધોનીને મૅચમાં કેટલીક સૌથી તંગ પરિસ્થિતિઓમાં શાંત રહેવાની ક્ષમતાને કારણે `કૅપ્ટન કૂલ`નું ઉપનામ મળ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાં કૅપ્ટનશીપ કર્યા પછી, તેણે એક લીડર તરીકે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું.
એમએસ ધોની (મિડ-ડે)
ભારતીય ક્રિકેટ લેજન્ડ અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ 2025 ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પછી `કૅપ્ટન કૂલ` ના પોતાના પ્રતિષ્ઠિત ઉપનામ માટે ટ્રેડમાર્ક નોંધાવ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ભારતના આ દિગ્ગજ વિકેટ કીપર અને બૅટરે 5 જૂન, 2023 ના રોજ ઝારખંડમાં પોતાને આપવામાં આવેલા આ નામનો ટ્રેડમાર્ક નોંધાવ્યો હતો. ધોનીના આ ટ્રેડ માર્કની અરજીની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેથી શું હવે `કૅપ્ટન કૂલ`નું નામ પરવાનગી વગર નહીં વાપરી શકાય? એવો પ્રશ્ન ઊભો થયો છે.
43 વર્ષીય ખેલાડી એમએસ ધોનીને મૅચમાં કેટલીક સૌથી તંગ પરિસ્થિતિઓમાં શાંત રહેવાની ક્ષમતાને કારણે `કૅપ્ટન કૂલ`નું ઉપનામ મળ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાં કૅપ્ટનશીપ કર્યા પછી, તેણે એક લીડર તરીકે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું, ખાસ કરીને વ્હાઇટ-બૉલ ફોર્મેટમાં. તે એકમાત્ર કૅપ્ટન છે જેણે ત્રણેય વ્હાઇટ-બૉલ ટાઇટલ - T20 વર્લ્ડ કપ, 50-ઓવર વર્લ્ડ કપ અને ચૅમ્પિયન્સ ટ્રૉફી જીત્યા હતા. વધુમાં, તેણે 2009 માં ન્યુ ઝીલૅન્ડમાં સીમાચિહ્ન સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાને નંબર 1 પર પહોંચાડી હતી અને ટીમ એક વર્ષથી વધુ સમય સુધી ટોચ પર રહી હતી. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPLમાં રમવાનું ચાલુ રાખ્યું છે. તેના નેતૃત્વમાં, ફ્રેન્ચાઇઝે પાંચ વખત IPL ટ્રૉફી જીતી છે. તેમ છતાં, CSK એ આ વર્ષે ઇતિહાસમાં પહેલીવાર પોઈન્ટ ટેબલમાં તળિયે રહીને એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો.
ADVERTISEMENT
#MSDhoni has filed a trademark for Captain Cool.
— Sunil Kumar Yogi?? (@cell222right) June 30, 2025
Smart move — though it does feel a bit cheesy.#MSDhoni#CaptainCool pic.twitter.com/xf2jxWVT8q
"જો ક્રિકેટરો તેમના પ્રદર્શનને કારણે નિવૃત્તિ લેવાનું શરૂ કરે છે, તો તેમાંથી કેટલાક 22 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેશે, "એમએસ ધોનીએ પોતાની નિવૃત્તિ બાબતે આવું કહ્યું હતું. સીએસકેની સીઝનની અંતિમ મૅચ બાદ, ધોનીએ કહ્યું કે તેમની પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે અને ક્રિકેટરો ફક્ત તેમના પ્રદર્શનના આધારે નિવૃત્તિ લઈ શકતા નથી. આ અનુભવી ખેલાડીએ કહ્યું કે તે IPLમાં પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે સમય લેશે. રમત પછીની પ્રેઝન્ટેશનમાં કહ્યું "મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે, શું કરવાની જરૂર છે તે નક્કી કરવાની કોઈ ઉતાવળ નથી. દર વર્ષે શરીરને ફિટ રાખવા માટે 15 ટકા વધુ પ્રયાસ કરવો પડે છે. તમારે તમારા શ્રેષ્ઠ પ્રદર્શન પર રહેવું પડશે, આ ઉચ્ચ સ્તરનું ક્રિકેટ છે. તે વ્યાવસાયિક ક્રિકેટ છે. હંમેશા પ્રદર્શન ગણી શકાય નહીં. જો ક્રિકેટરો તેમના પ્રદર્શનને કારણે નિવૃત્તિ લેવાનું શરૂ કરે છે, તો તેમાંથી કેટલાક 22 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેશે. જો તમે ભૂખ્યા છો અને તમે કેટલા ફિટ છો તે જોવાનું મહત્ત્વપૂર્ણ છે. તમે ટીમ માટે કેટલું યોગદાન આપી શકો છો. ટીમને તમારી જરૂર છે કે નહીં, તેથી મારી પાસે પૂરતો સમય છે."

