Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હવે માત્ર વન-ડે ક્રિકેટમાં કૅપ્ટન્સી કરવાની બાકી છે, પણ એની શક્યતા ઓછી છે: જસપ્રીત બુમરાહ

હવે માત્ર વન-ડે ક્રિકેટમાં કૅપ્ટન્સી કરવાની બાકી છે, પણ એની શક્યતા ઓછી છે: જસપ્રીત બુમરાહ

Published : 16 May, 2026 05:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ગુરુવારે જસપ્રીત બુમરાહે IPLમાં કૅપ્ટન તરીકે ડેબ્યુ કર્યું હતું. અગાઉ ભારત માટે ટેસ્ટ-મૅચ અને T20 કૅપ્ટન્સીની ડેબ્યુ મૅચમાં પણ તેણે જીત મેળવી હતી. ત્રણ ટેસ્ટ-મૅચમાંથી જસપ્રીત બુમરાહ બે મૅચ હાર્યો હતો અને એક જીત્યો હતો.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ


મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ગુરુવારે જસપ્રીત બુમરાહે IPLમાં કૅપ્ટન તરીકે ડેબ્યુ કર્યું હતું. અગાઉ ભારત માટે ટેસ્ટ-મૅચ અને T20 કૅપ્ટન્સીની ડેબ્યુ મૅચમાં પણ તેણે જીત મેળવી હતી. ત્રણ ટેસ્ટ-મૅચમાંથી જસપ્રીત બુમરાહ બે મૅચ હાર્યો હતો અને એક જીત્યો હતો. તેણે બે T20 મૅચમાં કૅપ્ટન્સી કરીને બન્ને મૅચ ભારતને જિતાડી આપી હતી.

પંજાબ કિંગ્સ સામેની શાનદાર જીત બાદ કૅપ્ટન્સીના અનુભવ વિશે વાત કરતાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કહે છે, ‘મેં ભારત માટે ટેસ્ટ-મૅચ અને T20માં પણ કૅપ્ટન્સી કરી છે. હવે એક માત્ર વન-ડે ક્રિકેટમાં કૅપ્ટન્સી કરવાની બાકી રહી છે, પણ વન-ડે ટીમની કૅપ્ટન્સી મળશે એવું લાગતું નથી. મુંબઈ માટે કૅપ્ટન્સી કરીને ખૂબ મજા પડી. સારા વાતાવરણ અને સારા મેદાનને કારણે મને ખુબ આનંદ મળ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 05:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK