Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટેસ્ટ-ક્રિકેટને વૈભવ સૂર્યવંશી જેવા ઑલ-ફૉર્મેટ ખેલાડીઓની જરૂર છે

ટેસ્ટ-ક્રિકેટને વૈભવ સૂર્યવંશી જેવા ઑલ-ફૉર્મેટ ખેલાડીઓની જરૂર છે

Published : 23 August, 2026 02:29 PM | Modified : 23 August, 2026 03:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતનો ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ કહે છે...

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ


ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડે ટેસ્ટ-ક્રિકેટ વિશે મોટું નિવેદન આપ્યું છે. રાહુલ દ્રવિડ કહે છે કે ‘ક્રિકેટર્સે રેડ બૉલ અને વાઇટ બૉલ ક્રિકેટ ફૉર્મેટ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.’ 
રાહુલ દ્રવિડ આગળ કહે છે કે ‘આપણે બધા ઇચ્છીએ છીએ કે ટેસ્ટ-ક્રિકેટ ટકી રહે અને ખીલે. આપણને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓની જરૂર છે જે રમતનાં તમામ ફૉર્મેટમાં રમી શકે. વૈભવ IPLમાં વાઇટ બૉલ રમવાનો અને હવે દુલીપ ટ્રોફી જેવી ટુર્નામેન્ટ રમીને રેડ બૉલ ફૉર્મેટ રમવાનો અનુભવી મેળવી રહ્યો છે.’

મેન્સ ભારતીય ટીમને પણ નેધરલૅન્ડ્સ સામે હાર મળી



ગઈ કાલે સાંજે મેન્સ હૉકી વર્લ્ડ કપના બીજા રાઉન્ડની પહેલી મૅચમાં ભારતને યજમાન નેધરલૅન્ડ્સ સામે ૧-૩થી હાર મળી હતી.નેધરલૅન્ડ્સે ત્રીજા ક્વૉર્ટરમાં એક ગોલ અને ચોથા ક્વૉર્ટરમાં બે ગોલ કર્યા હતા. ભારત તરફથી ચોથા ક્વૉર્ટરમાં કૅપ્ટન હરમનપ્રીત સિંહે એક ગોલ કર્યો હતો. નેધરલૅન્ડ્સે અંતિમ ફોર ટીમોમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. સેમી-ફાઇનલની આશા જીવંત રાખવા માટે ભારતે ૨૪ ઑગસ્ટે સાંજે ૬.૧૫ વાગ્યે આર્જેન્ટિના સામે મોટા અંતરથી જીત મેળવવી પડશે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK