Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયા પાસે પ્રયોગ કરવા માટે પુષ્કળ સમય છે, રજત પાટીદારને પણ તક આપો : ઇરફાન પઠાન

ટીમ ઇન્ડિયા પાસે પ્રયોગ કરવા માટે પુષ્કળ સમય છે, રજત પાટીદારને પણ તક આપો : ઇરફાન પઠાન

Published : 06 July, 2026 12:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026માં બૅન્ગલોરના કૅપ્ટન તરીકે રજત પાટીદારે ૧૫ મૅચમાં પાંચ ફિફ્ટીની મદદથી ૫૦૧ રન ઝૂડીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું

ઇરફાન પઠાન

ઇરફાન પઠાન


ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાને બૅટિંગ ક્રમમાં વિવિધતા ઉમેરવા માટે જમણા હાથના બૅટ્સમૅન રજત પાટીદારનો સમાવેશ કરવાની હિમાયત કરી છે. IPL 2026માં બૅન્ગલોરના કૅપ્ટન તરીકે રજત પાટીદારે ૧૫ મૅચમાં પાંચ ફિફ્ટીની મદદથી ૫૦૧ રન ઝૂડીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ઇરફાન પઠાન કહે છે કે ‘ભારતીય T20 ટીમમાં હાલ ડાબા હાથના બૅટ્સમેનોની સંખ્યાને જોતાં ટીમ ઇન્ડિયાઅે ભવિષ્યમાં રજત પાટીદારને ધ્યાનમાં લેવો જોઈએ. મને ખરેખર આશા છે કે તેને તક મળશે, કારણ કે ટીમ ઇન્ડિયા પાસે આગામી T20 વર્લ્ડ કપ પહેલાં પ્રયોગ કરવા માટે હજી પણ પુષ્કળ સમય છે.’



રજત પાટીદારે ભારત માટે ત્રણ ટેસ્ટ-મૅચ અને એક વન-ડે મૅચ રમી છે, પરંતુ હજી સુધી સૌથી ટૂંકા ફૉર્મેટ T20માં રમવાનું બાકી છે. T20માં તેણે ૧૦૬ ઇનિંગ્સમાં ૧૬૦.૦૮ના સ્ટ્રાઇક-રેટથી ૩૩૮૯ રન બનાવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK