Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અજિંક્ય રહાણેની નિવૃત્તિ બાદ KKRની કમાન હવે ફિનિશર રિન્કુ સિંહને મળશે?

અજિંક્ય રહાણેની નિવૃત્તિ બાદ KKRની કમાન હવે ફિનિશર રિન્કુ સિંહને મળશે?

Published : 01 August, 2026 12:38 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજિંક્ય રહાણેની તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ પછી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને ૨૦૨૭ની ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે નવા કૅપ્ટનની જરૂર છે. ટીમનો વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહ અજિંક્ય રહાણેનું સ્થાન લેવા મજબૂત દાવેદાર છે. 

અજિંક્ય રહાણેની નિવૃત્તિ બાદ KKRની કમાન હવે ફિનિશર રિન્કુ સિંહને મળશે?

અજિંક્ય રહાણેની નિવૃત્તિ બાદ KKRની કમાન હવે ફિનિશર રિન્કુ સિંહને મળશે?


અજિંક્ય રહાણેની તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ પછી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને ૨૦૨૭ની ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે નવા કૅપ્ટનની જરૂર છે. ટીમનો વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહ અજિંક્ય રહાણેનું સ્થાન લેવા મજબૂત દાવેદાર છે. 
રિન્કુ સિંહની આગેવાનીમાં મેરઠની ટીમ ઉત્તર પ્રદેશની UPT20 લીગમાં ૨૦૨૪માં ટાઇટલ જીતી હતી અને ૨૦૨૫માં રનર-અપ રહી હતી. મેરઠની ટીમ બે સીઝનમાં ૧૮માંથી ૧૩ મૅચો જીતી હતી. લિસ્ટ A ક્રિકેટમાં પણ રિન્કુ સિંહે ભુવનેશ્વર કુમારને સ્થાને ઉત્તર પ્રદેશની કૅપ્ટન્સી કરી છે.  
વેસ્ટ ઇન્ડીઝના સુનીલ નારાયણ અને રોવમૅન પૉવેલ પણ કૅપ્ટન બનવાની રેસમાં છે. કોલકાતા નાઇટ રાઇડર્સનું મૅનેજમેન્ટ ટ્રેડ દ્વારા કે ઑક્શનમાં પોતાના નવા કૅપ્ટનની શોધ કરી શકે છે. મુંબઈ ઇન્ડિયન્સ છોડવાની તૈયારી કરી રહેલો હાર્દિક પંડ્યા પણ કલકત્તા સાથે જોડાઈને કમાન સંભાળે એવા પણ અહેવાલ મળી રહ્યા છે.  


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 12:38 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK