Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હું વન-ડે વર્લ્ડ કપ 2027 જીતવા માટે મારી સંપૂર્ણ તાકાત લગાવી દઈશ : રોહિત શર્મા

હું વન-ડે વર્લ્ડ કપ 2027 જીતવા માટે મારી સંપૂર્ણ તાકાત લગાવી દઈશ : રોહિત શર્મા

Published : 13 February, 2026 10:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિત શર્માએ કહ્યું હતું કે, મારી યુવાનીના સમય પહેલાંથી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ હતી જે દર ચાર વર્ષે યોજાતી હતી

રોહિત શર્માની ફાઇલ તસવીર

રોહિત શર્માની ફાઇલ તસવીર


ભારતનો અનુભવી ક્રિકેટર રોહિત શર્મા તેની ટ્રોફીની કૅબિનેટમાં વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી ઉમેરવા માટે ઉત્સુક છે. તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ હારી ગયેલી ભારતીય ટીમનો કૅપ્ટન હતો. હવે તે એક અનુભવી પ્લેયર તરીકે ૨૦૨૭માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ પર નજર રાખી રહ્યો છે.

T20 વર્લ્ડ કપ 2026ના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર રોહિત શર્માએ એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન કહ્યું હતું કે ‘હું ચોક્કસપણે ત્યાં જઈને મારા દેશ માટે વર્લ્ડ કપ જીતવા માગું છું. એ એક એવી વસ્તુ છે જેની હું હંમેશાં રાહ જોતો હોઉં છું. હું ૫૦-૫૦ ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું. એ સમયે કોઈ T20 વર્લ્ડ કપ નહોતો, કોઈ IPL નહોતી કે કોઈ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ નહોતી.’



રોહિત શર્માએ વધુમાં કહ્યું હતું કે ‘મારી યુવાનીના સમય પહેલાંથી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ હતી જે દર ચાર વર્ષે યોજાતી હતી. હું ખરેખર એ ટ્રોફી જીતવા માગું છું.  એથી હું સખત મહેનત કરવાનો પ્રયાસ કરીશ અને એ મેળવવા માટે મારી સંપૂર્ણ તાકાત લગાવી દઈશ.’ 


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK